વરસાદી પાણી ભરાતા નગરસેવિકાની તંત્ર સામે રજુઆત થતા ચેરમેને લત્તાની મુલાકાત લીધી

524

ભાવનગર મહાપાલિકાના વડવા બ વોર્ડના નગરસેવિકા અને કારોબારી સભ્ય ગીતાબેન બારૈયાએ કારોબારી કમિટીમાં વરસાદને કારણે બાનુબેન વાડી લત્તામાં માઢીયા, ખાતરવાડી, મહમદી મસ્જીદ, મિલચાલી, વિસ્તારમાં પાણી ભરાયાની અને લોકોને પરેશાની પડતા સેવિકાએ તંત્રના અધિકારીઓને ફોનો કરવા છતાં ફોનો ન ઉપાડતા આ મુદ્દાની કારોબારીમાં રજુઆત કરતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. રાજુ પંડ્યાએ દરમ્યાનગીરી કરી હતી.

આ પછી તા.૫મીના રોજ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલે ફરિયાદવાળા વિસ્તારની મુલાકાત લઇ ગીતાબેન સહિત અરજદારોને સાંભળીેને વરસાદી પાણીના ં નિકાલની ઝડપી નિકાલ કરવા ચેરમેન તાકિદ કરી હતી.

Previous articleપ્રાયમરી ટીચર ટ્રેનિંગ કોલેજ ઉખરલાનું ઉત્કૃષ્ટ પરિણામ
Next articleશહેર ભાજપ દ્વારા આજે તમામ વોર્ડમાં સદસ્યતા અભિયાન લોન્ચીંગ કરાશે