યુનિ.ગુજરાતી ભવનમાં વિદ્યાર્થીઓનાં આવકારોત્સવ કાર્યક્રમનું આયોજન

548

તા.૦૩-૦૭ ને બુધવારે ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સેમેસ્ટર-૧નાં વિદ્યાર્થીઓ આવકારોત્સવનો કાર્યક્રમ યોજાયેલ. આ કાર્યક્રમનું યુનિવર્સિટીના કુલપતિ મહિપતસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું. ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ મહેન્દ્રસિંહ પરમારે કુલપતિનું સ્વાગત પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને કર્યુ ંહતું. નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના કુલગુરૂને આવકારવાના આ કાર્યક્રમમાં કુલપતિ મહિપતસિંહ ચાવડાએ વિદ્યાર્થીઓને સમાજમાં ભાષા અને સાહિત્યના મહત્વ વિશે વાતો કરી હતી. ગુજરાતી વિભાગની સમાજોપયોગી પ્રવૃત્તિઓને કુલપતિએ પણ હરખથી વધાવી હતી.

Previous articleરાજુલા-જાફરાબાદ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ૨૪ ઉમેદવારોના ફોર્મ ભરાયા
Next articleભાવનગર જિલ્લામાંથી હજયાત્રાએ જતા હાજીઓ માટે રસીકરણ કેમ્પનું આયોજન