ચકચારી કાળીયાબીડ મર્ડર કેસનાં ફરાર આરોપીને ઝડપી લેતી એસઓજી

1016

આજરોજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરીના આદેશથી એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ તથા એચ.એસ.ત્રિવેદી પો.સ.ઇ. ના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી.ના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે નિલમબાગ પોલીસ સ્ટેશનનાં કાળીયાબીડ હત્યાનાં ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી જયદીપ ઉર્ફે ચીનો જોરસંગભાઇ પરમાર ઉ.વ.૩૧ રહેવાસી હાદનગર સત્યનારાયણ સોસાયટી-૧ પ્લોટ નંબર ૧૮/બી ભાવનગર વાળાને ભાવનગર નારી ચોકડી ખાતેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleશરીર સબંધી કેસોમાં સંડોવાયેલ ઈસમને હદપાર કરતી બોરતળાવ પોલીસ ટીમ
Next articleખંડણીના ઇરાદે અપહરણ, લૂંટના ગુનામાં પંદર વર્ષથી ફરાર આરોપી મુંબઇથી ઝબ્બે