રેલ્વે કર્મચારીઓના વિવિધ પ્રશ્ને વેરેમસં દ્વારા જાહેરસભા યોજાઇ

571

હાલમાં રેલ મંત્રાલય દ્વારા રેલ્વેના વિવિધ એકમોનું પ્રોડક્શન યુનિટ વગેરેનું ખાનગીકરણ તેમજ રેલ્વે કોલોનીઓ કોમર્શિયલ હેતુ માટે પ્રાઇવેટ પ્લેયરને વેચી નાખવાનાં નિર્ણયનો વિરોધ પ્રગટ કરવામાં આવેલ. આ જાહેરસભામાં બહોળી માત્રામાં ઉપસ્થિત રેલ કર્મચારીઓને સંઘના વર્કિંગ જનરલ સેક્રેટરી તતા એનએફઆઇઆરનાં સહાયક મહામંત્રી આર.જી.કાબર દ્વારા રેલ્વે કર્મચારીઓમાં પ્રવર્તી રહેલ પરિસ્થિતિથી અવગત કરાવેલ. તેમણે વધુમાં જણાવ્યું કે હાલ વર્કશોપમાં ૬૦૦ થી વધુ કર્મચારીઓ કામ કરે છે. તેમ છતાં પણ રેલ પ્રશાસન દ્વારા અડધાં કર્મચારીઓને રહેવા માટે ક્વાટ્‌ર્સ ફાળવવામાં નથી આવ્યા તેથી કર્મચારીઓ અને તેમના પરિવારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવામાં આવે છે. કર્મચારીઓ પાસેથી નિયમ કરતાં વધારે કામ લેવામાં આવે છે. નિયમાનુસાર કર્મચારીઓને ઇન્સેન્ટીવ મળવાપાત્ર હોવાં છતાં પ્રશાસન દ્વારા આ અંગે હજુ સુધી હકારાત્મક અભિગમ અપનાવેલ નથી.

આ અંગે કર્મચારીઓના પ્રશ્નોનાં નિરાકરણ માટે વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ દ્વારા મજદુર સંઘનાં નેજા હેઠળ આંદોલન કરવા માટે તૈયાર રહેવા આહ્વાન કરેલ.

આ સભામાં માત્રામાં રેલ કર્મચારીઓની સંખ્યા એકત્રીત કરવા માટે વર્કશોપ બ્રાંચના ં હોદ્દેદારો મહેશ દવે, સલીમભાઇ, પી.પી.જાડેજા, ધર્મેન્દ્ર પાઠક,વિશાલ મકવાણા, પાર્થરાજ, સોહિલ, કમલેશભાઇ, વિરલ પંડ્યા, ભરતસિંહ, રાજકપુર, જનકભાઇ, મુકેશભાઇ,મમરાજ મીના તેમજ સંઘના હોદ્દેદારો એ ભારે જહેમત ઉઠાવી હતી.

આ ઉપરાંત આગામી તા.૧૨-૦૭ ના રોજ બપોરે ૧ કલાકે ડીઆરએમ ઓફિસ ખાતે અને સાંજે ૬ કલાકે ભાવનગર ટર્મિનસ ખાતે ભાવનગર બાંદ્રા ટ્રેન પર સુત્રોચ્ચાર કરવાનો કાર્યક્રમ રાખેલ છે.

Previous articleશહેર કોંગ્રેસ માઇનોરીટી વિભાગ દ્વારા મોબલીન્ચીંગના વિરોધમાં આવેદન પાઠવ્યું
Next articleતળાજાના જુના રાજપરા ગામે દિપડાએ બાળકીને ફાડી ખાધી