મો.ચા. રાજગોર છાત્રાલયમાં પ્રમુખ પદે ગીરીશભાઇ પંડ્યાની વરણી

492

ભાવનગરના સિંધુનગર ખાતે આવેલ મોઢ ચાતુર્વેદીય રાજ્યગોર સમવાય જ્ઞાતિ છાત્રાલયના પ્રમુખ તરીકે તળાજાના ગીરીશભાઇ શિવશંકરભાઇ પંડ્યા સર્વાનુમતે ચૂંટાયા છે. તેમજ મહામંત્રી તરીકે નિરજભાઇ રાજ્યગુરૂની પણ વરણી થઇ છે. તાજેતરમાં સિંધુનગર ખાતે આવેલ કુમાર કન્યા છાત્રાલય ખાતે મળેલી સાધારણ સભામાં જયેશભાઇ રાજયગુરૂ તથા સુરતના હર્ષદભાઇ રાજ્યગુરૂ (ભામાશા)ની ઉપસ્થિતિમાં આ વરણી કરવામાં આવી હતી.

Previous articleએનસીસીના વાર્ષિક કેમ્પમાં ટ્રાફિક નિયમન અને જાગૃતિ અંગે કાર્યક્રમ
Next articleસિહોરમાં આખલા પર એસીડ એટેક જીવદયા પ્રેમીઓમાં ફેલાયેલો રોષ