ગોદડીયા આશ્રમ બાઢડા ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે

555

સાવરકુંડલા હરીરામબાપુ ગોદડીયા આશ્રમ બાઢડા ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવ મહંત બંસીદાસબાપુ દ્વારા ગુરૂ ભીખારામબાપુનું ગુરૂપૂજન મહાપ્રસાદ અને સંતવાણી કાર્યક્રમ યોજાશે. દેશ પરદેશથી સેવકોનો માનવ મહેરામણ ઉભરાશે.

સાવરકુંડલાના સુપ્રસિદ્ધ ગોદડીયા સમર્થ સંત હરિરામબાપુના આશ્રમે બ્રહ્મલીન સંત શિરોમણી ભીખારામબાપુ ગુરૂ રામબાપુના ગુરૂપૂજન, મહંત બંસીદાસ બાપુ દ્વારા કરાશે. જેમાં મહાઆરતી, મહાપ્રસાદ તેમજ આખો દિવસ નામી અનામી ભજન સમ્રાટ કલાકારોનો સંતવાણી કાર્યક્રમ વર્ષોથી પરંપરા મુજબ અને હજારો ગોદડીયા સેવકો દેશ પરદેશથી આવી તેમજ બાબરીયા વાડથી કાઠી ક્ષત્રિય સમાજ બારોટ સમાજ સહિત દરેક ૧૮ રેય જ્ઞાતિના સેવકોનો માનવ મહેરામણ ઉમેરાશે. જેમાં ગુરૂપૂજનનો લાભ લેશે. આ મહામહોત્સવમાં દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા હાલના મહંત બંસીદાસ બાપુનું આહ્વાન છે. તેમજ આ મહોત્સવને પીપાવાવ, બાઢડા ગામથી રામગઢ, લુવારા, ગોરડકા, છેક અગ્રણી સહિત સેવકો આજથી તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

Previous articleસિહોરમાં આખલા પર એસીડ એટેક જીવદયા પ્રેમીઓમાં ફેલાયેલો રોષ
Next articleયુ.એસ. ખાતે યોજાનાર સ્કાઉટ જાંબોરીમાં ભાવનગરનાં ત્રણ આઇ.એસ.ટી. પસંદ થયા