ચંદ્રગ્રહણ નિમિત્તે સાળંગપુર મંદિરે પુજા, ભોજન બંધ રહેશે

804

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર મુકામે આવેલ વિશ્વ વિખ્યાત  કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પુજા પાઠ વિધિ એક દિવસ પુરતી બંધ રાખવામાં આવશે. સાળંગપુર મુકામે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે તા.૧૬-૧૭/૦૭/૨૦૧૯, મંગળવાર અષાઢ સુદ-૧૫ (ગુરુ પૂર્ણિમા) ના દિવસે ખંડગ્રાસ – ચંદ્રગ્રહણ નિમિતે (૧) પૂજા- પાઠ (કષ્ટ નિવારણ) વિધિ બંધ રહેશે.(૨) બપોરના ૧ઃ૦૦ વાગ્યા પછી અને સાંજે ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા બંધ રાખેલ છે. (૩) મંદિરના દર્શન તેમજ આરતીના સમય રાબેતા મુજબ રહેશે.ખંડગ્રાસ તેમજ ચંદ્રગ્રહણ નિમિત્તે એક દિવસ માટે ફેરફાર કરવામાં આવેલ છે જેની દાદાના તમામ ભાવિક ભક્તોએ નોંધ લેવી

Previous articleરાજુલા ગાયત્રી શક્તિપીઠ ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો
Next articleશિક્ષકનું સન્માન કરાયું