ખાંભા શહેર બજરંગદળના પ્રમુખ તરીકે ગોપાલભાઈ બારોટની વરણી

570

ખાંભા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળની અગત્યન બેઠક પ્રમુખ બાબુભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને મળી જેમાં ખાંભા શહેર બજરંગદળના પ્રમુખ તરીકે સર્વાનુમતે ગોપાલભાઈ વળદાનભાઈ બારોટની વરણી કરાઈ.

ખાંભા ખાતે વિશ્વ હિન્દુ પરિષદની અગત્યની બેઠક બજરંગદળ કારોબારી બાબતે સાવરકુંડલા વિશ્વ હીન્દુ પરીષદના પ્રમુખ બાબુભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને મળી જેમાં ખાંભા શહેર બજરંગદળના પ્રમુખ તરીકે સર્વાનુમતે ગોપાલભાઈ વળદાનભાઈ બારોટની નિમણુંક કરાઈ આ બેઠકમાં ખાંભા વિશ્વ હીન્દુ  પરિષદના પ્રમુખ ગૌત્તમભાઈ કારેતા, મહામંત્રી અભિષેકભાઈ હરીયાણી સહિત્ બહોળી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના યુવાનો વડિલો ગામ આગેવાનોની ઉપસ્થિતિ રહેલ તેમજ ગોપાલભાઈ બારોટની સંપર્ક કરતા કહેલ કે ધર્મ રક્ષા તેમજ વિસરાઈ જ તી હીન્દુ સંસ્કૃતિને ઉજાગ કરવા પ્રયત્ન કરીશું અને હિન્દુ સંગઠન માટે રાષ્ટ્રવ્યાપી ભાર મુકાયેલ જેમાં પ્રયત્નશીલ રહીશુ.

Previous articleગારિયાધારમાં ૧ ઈંચ તથા પંથકમાં દોઢથી અઢી ઈંચ જેટલો ધીંગો વરસાદ
Next articleતા.૨૨-૦૭-ર૦૧૯ થી ૨૮-૦૭-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય