દામનગર ગાયત્રી મંદિરે નેત્રયજ્ઞ સાથે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

426

દામનગર શહેર માં ગાયત્રી મંદિર ખાતે નેત્રયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પ ને ભવ્ય સફળતા ૪૪ મોતિયા ના દર્દી ઓ ને રણછોડદાસબાપુ ટ્રસ્ટ રાજકોટ ની હોસ્પિટલ લઈ જવાયા દામનગર સિનિયર સીટીઝન ટ્રસ્ટ અને ભુરખિયા હનુમાનજી મંદિર ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ નેત્રયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પ માં રણછોડદાસબાપુ ટ્રસ્ટ રાજકોટ ના નિષ્ણાત તબીબ અને દામનગર શહેર ની અજમેરા હેલ્થ સેન્ટર ના ડોકટર જેઠવાની સુંદર સેવા પ્રાપ્ત થઈ હતી સંપૂર્ણ મફત દવા સારવાર અને સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના ૪૪ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માં જરૂરિયાત મંદ દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ નેત્રયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પ ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો હતો.

Previous articleદામનગરની આંગણવાડીની છતમાંથી ટપકતુ પાણી : નાના બાળકોને મુશ્કેલી
Next articleએમ.કોમ.પાર્ટ-૧ના પરિણામમાં વિદ્યાર્થીઓને થયેલા અન્યાય સામે એબીવીપની રજુઆત