ગરાજીયા ગામ, તા.પાલીતાણાના આંગણવાડીનં.૨૦૫ કાર્યકર દક્ષાબેન મનુભાઇ ગોહિલ તથા હેલ્પર કિરણબેન સુરેશભાઇ પરમારને નાયબ શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેના વરદહસ્તે માતા યશોદા એવોર્ડ ૨૦૧૯ એનાયત કરવામાં આવેલ છે. ગામના સરપંચ દિપકભાઇ ડાભી તથા ગ્રામ પંચાયતે દક્ષાબેન તથા કિરણબેનના યશોદા એવોર્ડ મેળવી ગામનું ગૌરવ વધારવા બદલ અભિનંદન આપેલ છે.