કોંગ્રેસના એકપણ ધારાસભ્ય કાશ્મીર મુદ્દે સામે કેમ નથી આવ્યા : હિરાભાઈ

717

પમી ઓગષ્ટ એટલે દેશ માટે સુવર્ણ દિવસ આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિતભાઈ શાહ દ્વારા જમ્મુ – કાશમીર તેમજ લદાકને કેન્દ્રશાસિત રાજય જાહેર કરી ૩૭૦ની કલમ તેમજ ૩પએ માંથી મુક્તિ આપતા અખંડ ભારતનો નિર્ણય લીધો હતો પણ દેશહિતમાં કોંગ્રેસને રસ ન હોય તેવો ભાજપે આક્ષેપ કર્યો હતો.

આ બાબતે ભાજપના તેમજ કોળી સમાજના આગેવાન હિરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગઈકાલે આ નિર્ણય જાહેર થયા બાદ કોંગ્રેસના એકપણ ધારાસભ્ય કે આગેવાને આ નિર્ણયને જાહેરમાં સ્વીકાર્યો નથી. ત્યારે કોંગ્રેસ માત્ર સતાને વરેલી છે. દેશહિત સાથે કોઈ લેવાદેવા નથી તેમ જણાવ્યું હતું.

 

Previous articleમહિલા સશક્તિકરણ પખવાડિયાના છઠ્ઠા દિવસે મહિલા કૃષિ દિવસની ઉજવણી કરવામાં આવી
Next articleરાજુલામાં ઘણખૂંટના ત્રાસથી એક વૃદ્ધાનું મૃત્યુ