બાબરામાં સાધુનું નિધન થતા હિંદુ-મુસ્લિમ સમાજે અંતિમ સંસ્કાર કર્યા

721

બાબરા વિસ્તાર માં રહી છેલ્લા પંદર વર્ષ સાધુ જીવન ગાળતા મૂળ ભિલોડા ના વતની નું આજે અવસાન થતા બાબરા માનવ સેવા ગ્રુપ દ્વારા પરિવાર નો સંપર્ક સાધી તેમના નિધન ના સમાચાર આપવા માં આવ્યા હતા પરિવારે તેમની અવલમંજલ વિધિ કરવા નું જણાવતા ગ્રુપ ના હિંદુ મુસ્લિમ યુવાનો દ્વારા શાસ્ત્રોક વિધિ અનુસાર તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા

વિગત મુજબ બાબરા બસ સ્ટેશન વિસ્તાર માં રાત્રી દિવસ જુદી જુદી દુકાન ના ઓટા ઉપર છેલ્લા કેટલાક વર્ષો થી સાધુ જીવનજીવી અને લતાવાસી ને ધાર્મિક બોધપાઠ આપનાર મૂળ અરવલ્લી જીલ્લા ના ભિલોડા ના વતની વિઠલભાઈ ગોદડભાઈ પંચાલ ઉવ.૭૨ સાધુ ઉપનામ તુલસીદાસબાપુ ની છેલ્લા કેટલાક સમય થી તબિયત બરાબર નહી રહેતી હોવાથી સેવકો દ્વારા સુસુશ્રા કરવા માં આવતિ હતી જેમાં આજે ટુંકી સારવાર બાદ બાબરા સરકારી દવાખાના માં કુદરતી મૃત્યુ થયું હતું બાબરા માનવ સેવા ગ્રુપ માં હિંદુ મુસ્લિમ મિત્રો રફીકભાઈ ઓઠા રમેશભાઈ તેરૈયા ઈરફાનભાઈ ગાંધી પીયુસભાઈ દરજી સલીમભાઈ મુંજાવર  જ્સ્મીનભાઈ બગથળિયા દિનેશભાઈ બગથળિયા અશ્વિનભાઈ રામાણી જીગ્નેશભાઈ તેરૈયા સહિતે હિંદુ સંસ્કૃતિ મુજબ દિગવંત ને અગ્નિસંસ્કાર આપી ધર્મપરાયણતા અને કોમી એકતા ભાઈચારા ની પ્રેરણા આપી હતી

Previous articleદામનગર આંગણવાડીમાં સુપોષણ કાર્યક્રમ
Next articleશિયાળબેટમાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની કરાયેલી ઉજવણી