ધંધુકાના બાજરડા ગામે ચતુરી નદી પર પુલ બનાવવાની માંગ ઉઠી..!

574

ધંધુકાના બાજરડા ગામે ચતુરી નદી પર પુલના અભાવે ગામના હિંદુ-મુસ્લિમ સમાજના લોકોને સ્મશાન તરફ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બંને સમાજના સ્મશાન તરફ જવાનો આ એક જ માર્ગ છે તેથી ચોમાસાના સમય દરમિયાન જયારે નદીમાં પાણીનું પુર આવે ત્યારે કલાકોના કલાકો સુધી મૈયતને નદીમાંથી પસાર કરી શકાતો નથી અને આખરે ગામના તરવૈયા મારફત નદીના બંને કાંઠે સામ-સામે રસ્સાઓ બાંધીને જીવના જોખમે મૈયતને અંતિમ વિધી માટે લઈ જવામાં આવે છે.

મળતી વિગત મુજબ શુક્રવારે મોડીરાત્રીથી જ ધંધુકા પંથક સહિત ઉપરવાસમાં સાંબેલધાર વરસાદ પડતા નદીઓમાં ધોડાપુર આવ્યું હતું. અને બાજરડા ગામ તાલુકા મથકથી સંપર્ક વિહોણું બની ગયું હતું અને આવા સમયે જ ગામના એક વડિલ આલીભાઈ રેમાનભાઈ વડદરિયા (ઉ.વ.૭૦)નું અવસાન થયુંહ તું અને બીજી તરફ ગામના યુવાન ઈશાભાઈ સંધરીયાત (ઉ.વ.૪૦) ધાબા પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતાં. પરંતુ ચતુરી નદી પર પાણીનો પ્રવાહ હોવાથી તથા પુલના અભાવે લોકો મુશકેલીમાં મુકાયા હતાં અને ગામના મોટાભાગના માણસો એકઠા થઈને ગામના તરવૈયા મારફત મહા મુસીબને મરણજનારનો જનાજો  અને બિમાર વ્યક્તિને નદી પાર કરાવવાની ફરજ પડી હતી.

ગ્રામજનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા છેલ્લા પદર વર્ષથી સરકાર સમક્ષ રજુઆતો કરવામાં આવે છે. તેમ છતાં તંત્ર કે ધારાસભ્ય અને સંસદ સભ્ય ધ્યાન આપતા નથી. તેથી રજુઆતો તંત્રના બહેરા કાને અથડાય છે. અહીં સત્વરે પુલ બનાવવામાં આવે તેવી ગામ લોકોની બુલંદ માંગ છે.

Previous articleહથિયારનો ઉપયોગ તહેવારમાં નહિ કરી શકાય – પીઆઈ ડોડીયા
Next articleરાણપુર ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે પાણી ભરાતા ભારે હાલાકી