શિવકુંજ આશ્રમ જાળિયામાં સઘન વૃક્ષારોપણ કરાયું

402

શિવકુંજ આશ્રમ – જાળિયામાં ચાલતા મહાયાગ આયોજન સાથે અહીં ગ્રામપંચાયત અને પ્રાથમિક શાળા સહકારથી વનવિભાગ અને મનરેગા યોજના દ્વારા સંકલનથી સઘન વૃક્ષારોપણ આયોજન થયું છે. રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ મારુ અને વિશ્વાનંદ માતાજીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ધારાસભ્ય મારુ તરફથી તેમના  અનુદાનમાંથી વૃક્ષો માટે પિંઝરા ફાળવવાની જાહેરાત કરવામાં આવી.

સરપંચ નીતિનભાઈ માણીયા, ઉપસરપંચ અશોકભાઈ રાઠોડ, આચાર્ય પ્રવીણભાઈ મકવાણા, શિક્ષક  પરેશભાઈ ખેર અને વિદ્યાર્થીઓ દ્વારા આ વૃક્ષારોપણ આયોજનમાં વન વિભાગના અધિકારી સુમીતાબેન ડાકી સાથે પઢાર તથાપરમાર અને મનરેગા ગ્રામસેવક એહમદ પઠાણ રહ્યા છે. અહીંયા મનરેગાના અધિકારી મનહરસિંહ ગોહિલના માર્ગદર્શન સાથે સઘન વૃક્ષારોપણ આયોજન રવામાં આવ્યું છે.

Previous articleલાઈટના અજેવાળે જુગાર રમતા નવ શકુની ૧ લાખના મુદ્દમાલ સાથે ઝબ્બે
Next articleઈંગોરાળા ગામે વિકૃત શખ્સે ગૌવંશને લોહીયાળ ઈજા કરી