ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપરની સલાહઃ ’ધોનીનાં સંન્યાસ બાદ ચિંતા નહિ’

745

ઇંગ્લેન્ડ એવમ વેલ્સમાં રમાયેલ આઇસીસી વિશ્વ કપ બાદથી જ ધોનીના સંન્યાસની વાતો ચર્ચાનું કેન્દ્ર બનેલ છે. પૂર્વ ભારતીય વિકેટકીપર કિરમાનીએ ધોની વિશે વાત કરતા જણાવ્યું કે, આવું કોઇ પ્રથમવાર નથી બની રહ્યું. પહેલા પણ આવું બનતું રહ્યું છે જ્યારે મોટા કેલાડીઓના કરિયરના છેલ્લા સમયે આ પ્રકારની ચર્ચા કરવામાં આવે છે. વિકેટકીપર્સ વિશે તો આવું થતું જ રહ્યું છે. અને આ સવાલ પણ જરૂરથી આવે છે કે તેનું સ્થાન કોણ લેશે. કિરમાનીએ જણાવ્યુ, ’ફારૂખ એન્જીનિયર જ્યારે પોતાના સમયે કરિયરના છેડા પર હતા તો ત્યારે પણ તેમના વિશે આ પ્રકારના સવાલો પૂછવામાં આવતા હતા કે તેમના પછી કોણ? તેમના દ્વારા ક્રિકેટમાથી સંન્યાસ લીધા બાદ સૈયદ કિરમાની, કિરણ મોરે અને મહેન્દ્ર સિંહ ધોની આવ્યા.’

ધોનીને સંન્યાસ બાદ ચિંતા ન કરવાની સલાહ આપતા કિરમાનીએ કહ્યું,”આપણી પાસે ત્રણ-ચાર ટેલેન્ટેડ ક્રિકેટર છે તો કોઇને કોઇ તેમનું સ્થાન જરૂરથી લેશે. ક્રિકેટમાં વિકેટકીપિંગ ક્રિકેટ કોઇ સરળ કામ નથી. આ ટીમ માટે ખુબ જ મહત્વનું અને મુ્‌શ્કેલીભર્યું છે. એવું નથી કે માત્ર હાથમાં ગ્લોબ્સ પહેરી લેવાથી કોઇ પણ વ્યક્તિ વિકેટકીપર બની જાય.”

Previous articleઆપણે કોચમાં પૂરતું ઈન્વેસ્ટ નથી કર્યું તે ચિંતાનો વિષય : ગોપીચંદ
Next articleઆઈસીસીએ સ્ટોક્સને સચિન કરતા વધુ સારો ખેલાડી કહેતા ટિ્‌વટર યૂઝર્સ ભડક્યા