ગઢડા મુકામે આજે મુખ્યમંત્રીનું આગમન

539

ગઢડા(સ્વામીના) મુકામે આજરોજ તા.૯-૯-૨૦૧૯, સોમવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિતિમાં અનેકવિધ ધાર્મિક સામાજીક તથા રાજકીય કાર્યક્રમો યોજવામાં આવશે. મુખ્યમંત્રીના આગમન પૂર્વે બંદોબસ્ત સહિતનો ધમધમાટ શરૂ થઇ જવા પામેલ છે.

આ કાર્યક્રમો બાબતે જાણવા મળતી વિગતો અનુસાર મુખ્યત્વે ગોપીનાથજી દેવ મંદિર દ્વારા જલજીલણી એકાદશની મહોત્સવ યોજાનાર છે. જે માટે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમ માટે હેલિકોપ્ટર મારફતે સવારે ૯-૪૫ કલાકે ઢસા રોડ સ્થિત હેલીપેડ ખાતે ઉતરાણ કરી ઉગામેડી ગામે જળ પૂજન તથા બોટીંગ વિગેરે આયોજન અને તળાવનું લોકાર્પણ અને સ્ટેજ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાંરબાદ સવારે ૧૦-૪૫ કલાકે શ્રી ગોપીનાથજી દેવ મંદિર ખાતે યોજાનારા જળજીલણી સમૈયા અંતર્ગત પહોંચી પૂજન દર્શન તથા સ્ટેજ કાર્યક્રમ બાદ બી.એ.પી.એસ. મંદિર ખાતે જિલ્લા કલેકટર સંલગ્ન વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમ માં હાજરી આપશે. ત્યાંરબાદ નદીકાંઠે જળપૂજન વિગેરે ધાર્મિક કાર્યક્રમો મુખ્યમંત્રીના વરદ્‌ હસ્તે યોજવામાં આવશે.

Previous articleભાવનગર જિલ્લામાંથી અડધાથી સાડા ત્રણ ઈંચ વરસાદ
Next articleભાવનગરમાં ગણપતિ મહોત્સવની ધામધુમપુર્વક ઉજવણી