ગુજરાત રાજયનાં મત્સયો ઉધોગમંત્રી પરશોતમભાઈ સોલંકીને તાજેતરમાં ઓપરેશન કરાવ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયા આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત આગેવાનો પરશોતમભાઈ સોલંકીની ખબર-અંતર પુછવા હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરશોતમભાઈ વહેલી તકે સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. આ અંગે પરશોતમભાઈ સોલંકીનાં પી.એ. હસમુખભાઈએ ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, ઓપરેશન બાદ ઈન્ફેકશન ન લાગે તે માટે પરશોતમભાઈને સારવાર માટે રાખાયા છે. જો કે, તેમની તબીયત સારી હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ.