વડવાળા ચામુંડા માતાજીના સાનિધ્યમાં યોજાયો નવંડી યજ્ઞ

559

ભાવનગરના સિંધુનગર, કૃષ્ણનગર રેલ્વે સ્ટેશન પાસે આવેલ વડવાળા ચામુંડા માતાજીના મંદિર ખાતે માતાજીના પાટોત્સવની ઉઝવણી તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વડવાળા ચામુંડા માતાજીના સાનિધ્યમાં યોજવામાં આવેલ નવચંડી યજ્ઞમાં યજમાન પરિવારે પુજન તથા હવન વિધિનો લાભ લીધો હતો. નવચંડી યજ્ઞ બાદ આજે મહાપ્રસાદ કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં ભાવિક મોટી સંખ્યામાં જોડાયા હતાં.

Previous articleઆહીર સમાજ કર્મયોગી સંગઠન દ્વારા મેગા વર્કશોપ યોજાયો
Next articleગેંગ કેસના ગુન્હામાં નાસતો-ફરોત આરોપી ઝડપતી એલસીબી