નવાણિયા ગામની પ્રા.શાળામાં વૃક્ષારોપણ કરાયું

454

વલભીપુર તાલુકાના નવાણિયા ગામની નવાણિયા પ્રા. શાળા માં પર્યાવરણ ની યોગ્ય જાળવણી અંતર્ગત ઈકોક્લબ પ્રવૃત્તિ માં શાળાના આચાર્ય વિનોદ સિંહ ચૌહાણ તેમજ શાળાના શિક્ષકો અને બાળકો એ સરસ કામ કરેલ છે. એક બાળ એક ઝાડ મુજબ ઓગસ્ટ માસે ૧૦૮ વ્રુક્ષો નુ જાળવણી/ઉછેર ના સંકલ્પ સાથે વ્રુક્ષારોપણ. ત્યારબાદ આપણુ ઔષધીય વ્રુક્ષ સરગવો, ના બી લાવી આચાર્ય, શિક્ષકો, બાળકો એ મળી શાળા ના કીચન ગાર્ડન માં કોથળી ઓ માં સરગવા ના બી વાવી ૧૦૮ સરગવા ઉછેરી ગામના વાલીઓ/ગ્રામજનો ને તા.૨૨/૧૦/૧૯ ના રોજ શાળામાં બોલાવી ૧૦૮ સરગવા છોડ નુ વિતરણ કરાયું, જે સરગવા ના ગુણો અને તેનો ઉછેર/જાળવણી ના સંકલ્પ પણ કરાવાયા.

Previous articleસ્પર્ધાત્મક પરીક્ષા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો
Next articleરાણપુર ખાતે સ્વર્ગવાસી દીલીપભાઈ શેઠની સાતમી પૂણ્યતિથી નિમિત્તે ૬૦૦ બાળકોને ભોજન કરાવ્યુ