વલ્લભીપુર તાલુકા તળપદા કોળી સમાજનું સ્નેહ મિલન યોજાયું

550

વલ્લભીપુર તાલુકા તળપદા કોળી સમાજ નું નૂતન વર્ષ નું સ્નેહ મિલન સમારોહ રવિવારના નાં રોજ લુણધરા ખાતે યોજાઈ ગયો. જેમાં સમગ્ર તાલુકાના વિવધ ક્ષેત્રના આગેવાનો, વડીલો, યુવાનો  બહોળી સંખ્યામાં હાજર રહેલ. આ સ્નેહમિલન સમારોહ મા પધારેલ પરમ પૂજ્ય સંતો એ નવા વર્ષના આશીર્વાદ પાઠવેલ. મંચસ્થ મહાનુભાવો શ્રી ડાયાલાલ મકવાણા, વલ્લભભાઈ કામ્બાડ, નિલેશ ચુડાસમા, દિનેશભાઈ ચૌહાણ સરપંચ, મુકેશભાઈ રાઠોડ, જકશી ભાઇ બારૈયા, કિશોર ચૌહાણ, વિનુભાઈ ગોહિલ, રમેશભાઈ રાઠોડ,  એ પોતાના વકતવ્યો માં સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરી સમાજ નાં લોકો તમામ ક્ષેત્રો માં પ્રગતિ સાધે તેવી શુભકામનાઓ પાઠવેલ. સાથો સાથ આગામી સમયમાં યોજાનાર આઠમા સમૂહલગ્ન સમારોહ નાં આયોજન અંગે વિવિધ ચર્ચાઓ કરવામાં આવેલ. સાથોસાથ મહેમાન શ્રી રાજુભાઈ સોલંકી માંધાતા અધ્યક્ષ નાં હસ્તે સમાજના યુવાન મેહુલભાઈ સોલંકી તથા આઠમા સમૂહલગ્ન નાં મુખ્ય દાતા ગોરધનભાઈ મેર નું સન્માન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી જકશી ભાઇ બારૈયા તથા ઘનશ્યામભાઈ મકવાણા એ કરેલ.

Previous articleદાહોદ જિલ્લા ના આજુબાજુ ગામડાઓમાં ગાય ગોરી પર્વ ની ઉજવણી
Next articleમોટા બાવન કડવા પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો