ઘોઘામાં પિરાને પીર દસ્તગીરના ચિલ્લા મુબારકના ઉર્ષ મુબારકની ઉજવણી કરવામાં આવી

551

ઘોઘા માં દરિયા કિનારે આવેલ પિરાને પીર ગોસુલ આઝમ દસ્તગીર ર.અ ના ચિલ્લા મુબારક તેમજ રિઝકુલ્લાહ શાહ ષાલીસ મોહયુદિન (રહે.અલૈહ) ની ગાદી મુબારક નો ઉર્ષ મુબારક ઉજવવા માં આવ્યો હતો જેમાં ઈશાની નમાઝબાદ ખાદીમ સૈયદ ઝાકિરમિયાં ના ઘરેથી સંદલ શરીફ ઝુલુસ મારફતે પિરાને પીર દસ્તગીરના ચિલ્લા મુબારક ખાતે લઈ જવામાં આવેલ ત્યાર બાદ સલાતો સલામ અને સામુહિક દુઆ કરવામાં આવી હતી
તેમજ રાત્રે કવ્વાલી નો પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો હતો
આ પ્રસંગે બાંભણીયા બ્લડ બેન્ક દ્વારા રક્તદાન શિબિર નું ઓન આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રક્તદાન કરનાર ને ત્રણ ખાના નું ટિફિન,કેશરોલ,ડબ્બા ભેટ રૂપે આપવામાં આવેલ

Previous articleવકીલ ભાવિક ભટ્ટ દ્વારા લખાયેલ પુસ્તકનું વિમોચન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સુભદ્રાબેન બક્ષી હસ્તે વિમોચન કરાયું
Next articleઅનોખું ઉડાન અમારું (અનુભવના ઓટલે અંક: ૩૮)