યુવા ચિત્રકાર કોમલભાઈ રાઠોડ ના ચિત્રોનું પ્રદર્શન તારીખ 1/2/ 20ના રોજ યોજાશે

663
ભાવનગરના યુવા ચિત્રકાર કોમલભાઈ કિશોરભાઈ રાઠોડ , જયુપીટર આર્ટનું આગામી તારીખ ૧ અને ૨ ફેબ્રુઆરીના રોજ ચિત્ર પ્રદર્શન યોજાનાર છે.આ પ્રદર્શન ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી અમદાવાદ ના સહયોગથી યોજાનાર છે.

આ પ્રદર્શનનું ઉદઘાટન તારીખ 1 ફેબ્રુઆરી સવારે 10:30 કલાકે રાજકુમારી બ્રીજેશ્વરી કુમારીજી ગોહિલ ના મુખ્ય મહેમાન પદે તથા ગીતાબેન કિશોરભાઈ રાઠોડ અને હાર્દિક દેસાઈના અતિથિ વિશેષ પદે સંપન્ન થશે આ પ્રદર્શન ભાવનગર ખાતે ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી સરદારનગર ખાતે તારીખ ૧ અને ૨ ફેબ્રુઆરી સવારે 10 થી સાંજે 8 સુધી ભાવનગરની કલાપ્રેમી જનતા માટે ખુલ્લું રહેશે

Previous article26 જાન્યુઆરી ના દિવસે વડોદરા ની અંદર ત્રીશા ઈવેન્ટ દ્વારા સવથી મોટા ફેશનશો યોજાયો
Next articleભાવનગર શહેરમાં CAA અને NRC બંધના એલાનના પગલે વિવિધ વિસ્તારોમાં મિશ્ર પ્રતિસાદ