ગાંધીજીના 72માં નિર્વાણ દિન નિમિત્તે ભાવ. શહેર કોંગ્રેસ દ્વારા સર્કીટ હાઉસ ખાતે પુષ્પાંજલી કાર્યક્રમો યોજાયા

558

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં ૭૨માં નિર્વાણ દિન નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સર્કીટ હાઉસ ખાતે પુષ્પાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અતિભાઈ ચાવડાની સુચનાથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં ૭૨માં નિર્વાણ દિન નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સર્કીટ હાઉસ ખાતે પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગાંધીજીની તસવીરને પુષ્પાંજલી અર્પણ કરી પ્રાર્થના કરી હતી.


આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, વિપક્ષ નેતા જયદિપસિંહ ગોહિલ, નગરસેવકો ભરતભાઈ બુધેલીયા, રહીમભાઈ કુરેશી, કાંતિભાઈ ગોહિલ, હિંમતભાઈ મેણીયા, અરવિંદભાઈ પરમાર, મહિલા મોરચાનાં પારૂલબેન ત્રિવેદી, સીનીયર આગેવાનો પ્રકાશબાઈ બોસમીયા, જયેશભાઈ ભટ્ટ, એસ.પી. રાણા, કૌશિકભાઈ ચાંદલીયા, મહેન્દ્રસિંહ ગોહિલ, કલપેશ મણીયાર, સાજીદ કાઝી, માઈનોરીટી સેલનાં ચેરમેન અનવરખાન પઠાણ, રજાકભાઈ કુરેશી, શહેરનાં તમામ વોર્ડનાં પ્રમુખ સહિત હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleતરસમિયા ખારસી પાસેના રહેણાકી મકાનમાંથી ઈંગ્લિશ દારૂનો જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા
Next articleઅલંગના રાજપરા ગામેથી ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લેતી એલસીબી