અનુભવના ઓટલે અંક: ૪૭ મારી પ્રેરણામૂર્તિ

1231

‘મારું જીવન   મારી વાણી’ ઉક્તિ પ્રેરણાનો સાગર છેતેનું મનન કરવાથી ચૂંટેલા વિચારોના સુગંધી પુષ્પો જીવનરૂપી બાગમાં ખીલી ઊઠે છેસુંદર વિચારોની મહેક જીવનરૂપી વિચારોના ફૂલઝાડને શોભા આપે છેબાગની મહેક આસપાસના જગતને પોતાની સુવાસ વડે ભરી દે છેમહાત્મા ગાંધી એક એવા વિચારોનો મઘમઘતો બાગ હતાજેની સુવાસ આપણને આજે પણ રોમાંચિત કરી રહી છેનરસી મહેતાનું ભજન બાપુને બહુ પ્રિય હતું:

વૈષ્ણવજન તો તેને રે કહીએજે પીડ પરાઈ જાણે રે,

પરદુ:ખે ઉપકાર કરે પણ મન અભિમાન  આણે રે”

નરસી મહેતાના પદના શબ્દો આપણા અંતરપ્રદેશને પ્રેરણાની વર્ષા વડે ભીંજવી દે છેએક વખત જેનું અંતર કરુણાની વર્ષાના શબ્દ વડે ભીંજાઈ તરબતર થઈ જાય છેતેના દિલમાં સંવેદનાનું સરોવર હિલોળા લેવા લાગે છેત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના માનવતાના મુલકનો સમ્રાટ બની રાજ કરવા લાગે છેએટલું જ નહિ,તે સૌ કોઈના હૃદયમાં સ્થાન પામીવૈષ્ણવજન”નું સન્માન હાંસલ કરી લે છેઆવું સન્માન મેળવનાર ખરા અર્થમાં ઈશ્વરનો અર્થાત પરમ તત્વનો અંશ બની પોતાની માનવતાને દિપાવે છેપદના શબ્દ કોઈ ચોક્કસ ધર્મ ધારણ કરનાર વ્યક્તિને ઉદ્દેશી કહેવામાં આવ્યા નથીકવિની દ્રષ્ટીએ મનની શુદ્ધિ માટેનું સ્નાન એટલે  “ વૈષ્ણવજન”. કોઈ પણ ધર્મના લોકોને પદના શબ્દો પૂરેપૂરા લાગુ પડે છેમાણસ તેના ગુણો વડે “વૈષ્ણવજન” બની શકે છેબીજાનું સારું કરનાર વ્યક્તિ મનમાં પણ કરેલા ઉપકાર માટે અભિમાન  અનુભવે તો તે “વૈષ્ણવજન” છે. અન્ય ધર્મનો વ્યક્તિ ઇચ્છે તો વૈષ્ણવ શબ્દના સ્થાને પોતાના ધર્મનો શબ્દ વાપરી શકે છેશરત માત્ર નિરભિમાની બની કર્મ કરવાની હોય છેમોહ,માયા આદિ ભૂલથી પણ મનમાં પ્રવેશવા  જોઈએકવિએ દ્રઢ મનોબળ કેળવી વૈરાગ ધારણ કરવા કહ્યું છેકામઅર્થાત વાસના અને ક્રોધ અર્થાત ગુસ્સો જેવા દૂરગુણોને તિલાંજલિ આપવા મર્મ કરી નરસી મહેતા કહે છે. “હે પામર જીવ તારે આજ નહિ તો કાલ  દુનિયામાંથી વિદાય થવાનું છેતેથી મોહ માયામાં ફસાઈને તારો માનવ અવતાર ગુમાવીશ નહિતારી પત્ની સિવાયની સ્ત્રીને તું માતાની દ્રષ્ટીએ જોવાનું રાખજેઅન્યથા તું મોહમાં ફસાઈ દૂરગતિને પામીશરામનામ અને તારું કર્મ કોઈ પણ દંભ વિના તું બજાવતો રહીશ તો તારું  નહિ તારા વારસદારોનું પણ ભલું થશે.

 

તારી એકોતેર પેઢી ઉગારવા બધા વચનોનું પાલન કરવામાં આળસ કરીશ નહિમોહનદાસ ગાંધી પોતાના કર્મો વડે  મહાત્મા બની શક્યા છેતેમણે નરસી મહેતાના પદને પચાવી પોતાનું કર્મ બજાવ્યું હતુંતેથી તેઓ આપણા સૌની પ્રેરણામૂર્તિ બની ગયા છેઆદર્શ જીવન જીવી તેમણે આપણને સૌને ઉત્તમ જીવન જીવવાનો માર્ગ બતાવ્યો છેતારીખ ૩૦ જાન્યુઆરીના રોજ મને વૈષ્ણવજન પર મારા વિચારો રજૂ કરવા એક સૂચન વાચક વર્ગમાંથી મળ્યું હતુંતે દિવસે હું ખૂબ બેચેન હતોનિરાશ અને ઉદાસ પણ થઈ ગયો હતોઅંતરમાં મોટું તોફાન જાગ્યું હતુંવિચારો શાંત પડતા  હતાનારાજગી પોતાનો જમાવેલો કબજો છોડવાનું નામ નહોતી લેતીકારણ સ્પષ્ટ હતું: બાપુની હત્યાનો  દિવસ હતોજ્યારેજ્યારે  દિવસ આવે છેત્યારેત્યારે હું દુ:ખી અને નિરાશ થઈ જતો હોઉં છુંબાપુની હત્યા સમયે ઘટેલી ઘટના દ્રશ્યમાન છેઓગણીસસો અડતાલીશમાં ઘટેલી ઘટનાનું શબ્દ- ચિત્ર મારા મગજ પર છવાઈ મોટું તોફાન ઊભું કરી દે છેદેશ માટે આખું આયખુ અર્પણ કરનાર મહાપુરુષનો આવો કરુણ અંત લાવનાર હત્યારો તેમ કરી શું સાબિત કરવા માગતો હતોતે મને સમજાતું નથીપોતાની ચિંતા કર્યા વિના પીડિત સમાજ અને દેશ ખાતર દિવસરાત કાર્ય કરનાર વ્યક્તિને નવાજવાના બદલે મૃત્યુદંડની સજા કરવાનો નથુરામ ગોડસેને શો અધિકાર હતો? ગોડસે અસત્યનો સહારો લઈભીડમાંથી દર્શન અને પ્રણામ કરવાના બાને બાપુનેઆગળ આવી એક પછી એક એમ ત્રણ ગોળી વડે વીંધી નાખ્યાહે રામ” કહી બાપુ ઢળી પડ્યાખરેખર બાપુ નહિ દેશની શાન ઢળી પડી હતીઉપકારનો બદલો અપકારથી અપાયો હતોએટલે  કદાચ આઝાદ દેશમાં આજે પણ ભ્રષ્ટ લોકો પૂજાય છેનથુરામ ગોડસેની ત્રણ ગોળીઓએ આપણું ત્રણ રીતે પતન કરી નાખ્યું છે.

(૧) કામચોરી:

દેશનો નાગરિક હક માટે જેટલો જાગૃત રહે છેતેટલો ફરજ બજાવા તૈયાર હોતો નથીકર્મચારીઓને તગડો પગાર મળે છેપણ કામમાં તેઓ થાથાં થૈયાં કરે છે.

(૨) અસત્યનું આચરણ:

દેશનો નાગરિક અનેક પ્રકારના અસત્યો આચરતો થયો છે.નોકરી વ્યવસાયમાં અપ્રામાણિકતાએ માઝા મૂકી છેપગાર મુજબ કર્મચારીઓ ફરજ અદા કરતાં નથીવેપારીઓ કે ઉદ્યોગપતિઓ નફાના પ્રમાણમાં ગુણવત્તા ધરાવતી ચીજવસ્તુઓ ગ્રાહકને સરળતાથી ઉપલબ્ધ બને તેવી કાળજી રાખતા નથીકેટલાક ઉત્પાદનો કે વેચાણોમાં ઝેરી પદાર્થો પણ ભેળવી, નફો કમાઈ લેવા અનેક પ્રકારના અખતરાઓ કરવામાં આવે છેઅખાદ્ય પદાર્થો ખાદ્ય પદાર્થોમાં ભેળવી ગ્રાહકોને પધરાવી દેવામાં આવતા હોય છે.

 

(૩) ભ્રષ્ટાચારથી દેશ દબાયો છે:

દેશના સત્તાધીશો કમિશન અને લાંચરુશ્વત વિના એક પણ કામ કરતાં નથીધારાસભા કે લોકસભા અથવા રાજ્યસભામાં ધાર્યા ખરડા પસાર કરવા આવા સભ્યોના મતની ખરીદી કરવામાં આવે છેએટલું જ નહિ બહુમતિ પુરવાર કરવા પણ આવી  ખરીદવેચાણ ચાલે છે.

 હું  બાપુને વાગેલી ત્રણ ગોળીનું પાપ માનુ છુંનથુરામની ત્રણ ગોળીએ દેશની કમર ભાંગી નાખી છેજેના કારણે દેશનો નાગરિક બધું સહન કરી લેવા ટેવાઈ ગયો છેપથારીવશ કમર ભાંગલો દર્દી જેમ બધું ચલાવી લેવા ટેવાઈ જાય છેતેમ આપણે પણ ટેવાઈ ગયા છીએતમે કહેશો કે: ‘બાપુનો આશીર્વાદ મળ્યો હોવા છતાં દેશનો નાગરિક સંતોષી કેમ બની શકતો નથીતેને વધુ મેળવવાની લાલચ કેમ છૂંટતી નથી?’ ઉત્તર સાવ સરળ છે: ‘શાકમાં મીઠું વધુ પડી જાય તો તે ખારું થઈ જાય છેખારા શાકમાં થોડી ખટાશ ઉમેરી દેવામાં આવે તો ખારાશ ઓછી થઈ જાય છેએવી  રીતે ગળપણ વધી જાય તો તે ઓછું કરવા ખારાશ અથવા ખટાશ ઉમેરવી પડે છેઆઝાદ દેશમાં કમાણી કરી લેવા લાલચ વધી પણ તેને ઓછી કરવા તેના ઉપાય માટે કોઈ કામ થયું નથીનથુરામની કડવાશને ટેકો મળે તેવા કામ દેશના ખૂણેખાંચરે ચાલતા રહે છેસરકાર આવા લોકોને પાછલા બારણે ટેકો કરી રહી છેતેથી દેશનો નાગરિક હજુ સુધી આઝાદીના મિઠા ફળનો સ્વાદ પામી શક્યો નથી. બંધારણની જોગવાયો અને યોજનાઓ કાગળના ઢગલામાં ઢંકાય ગુંગળાય છેશાસક બદલાયો જરૂર છેનીતિ બદલાઈ નથીઊલમાંથી ચૂલમાં પડેલો નાગરિક વિવશ થઈ ગયો છેમૂંગા મોંએ તે સહન કરતો રહે છે કરે તેની બોલતી બંધ કરી દેવામાં આવે છેજે મહાત્માને દુનિયાએ માન આપ્યુંતે મહાત્માને આપણા દેશના નાગરિકે ગોળી મારી પ્રાણ લીધોઆપણે તેની એકસો પચાસમી જન્મ જયંતી ઉજવવાનું નાટક કરી રહ્યા છીએનાટક કરનાર કંપની પોતાનું પેટ ભરવા ગામેગામ નાટકો લઈ જઈ બજવે છેતેમ આપણા રાજકીય નેતાઓ પણ પોતાનું પેટ ભરવા બાપુની જન્મ જયંતી ઉજવવાનું નાટક સમગ્ર દેશમાં કરી રહ્યા છેઆવા દંભી લોકોને હવે આપણે ઓળખતા શીખવું પડશેબાપુનો ડગલે ને પગલે ચેક વટાવતા નેતાઓને પાઠ ભણાવવો પડશે. બાપુએ સત્યની તલવાર વડે આપણને આઝાદી અપાવી હતીજ્યારે આઝાદ દેશના શાસકો અસત્યની ધારદાર તલવાર ચલાવી સત્તાનું સિંહાસન જમાવી રહ્યા છે, ત્યારે પ્રજા અર્થાત દેશના દરેક નાગરિકે જાગૃત બનવુ પડશે.

દેદી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ,

સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ”

 

કાવ્ય પંક્તિના શબ્દો આપણા દિલને સ્પર્શા હોય તેવું ક્યાંય જોવા મળતું નથીત્યારે નરસી મહેતાના પદને સમજવા અને હાથવગું કરવાનો વિચાર કરનાર અમારી દીકરી મેનાબા જાડેજાને ધન્યવાદ આપું છુંઆજના ધમાલિયા યુગમાં આધ્યાત્મિક પદના શબ્દોને હૃદયસ્થ કરવાની ભાવના જાગવી  પણ ખૂબ  સારી નિશાની છે.મેનાબા અમારી શાળાની ખૂબ તેજસ્વી વિધાર્થિની હતાતબલાના માસ્ટર કલાકાર બનવાની ધગશથી તેમણે મહેનત ઉઠાવી હતીઓગણીસો અઠ્ઠાણું નવ્વાણુંમાં ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહમાં યોજાયેલ રાજ્યકક્ષાની નાટ્ય સ્પર્ધામાં તેઓ અમારી શાળાના એક સ્પર્ધક કલાકાર હતાં. “આત્માના આસું” નામના નાટકનો બીજો નંબર આવ્યો હતોજ્યારે “જય કનૈયાલાલ કી” નાટકનો ત્રીજો નંબર આવ્યો હતોબંને નાટકમાં દિગ્દર્શક અને સહદિગ્દર્શક તરીકે શાળાના શિક્ષિકા બહેનો શ્રી ભાવનાબેન મજીઠિયા અને શ્રી નીતાબેન રૈયાએ પોતાની સરાહનીય ભૂમિકા અદા કરી હતીબંને બહેનોને અભિનંદનતેમના માર્ગદર્શનથી શાળાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં રંગ રાખ્યો હતોબંને નાટક પ્રથમ અને દ્વિતીય હતાંપણ યજમાન સંસ્થા હોવાના નાતે થોડી ઉદારતા રાખી,નિર્ણાયકોએ નિર્ણય કર્યો હતોઅંતિમ નિર્ણય કરતા પહેલા  અંગે શાળાના સંચાલક તરીકે જવાબદાર વ્યક્તિ હોવાના નાતે મારો અભિપ્રાય લેવામાં આવ્યો હતોતેથી પરિણામની પૂરી વિગતો મને આજે પણ યાદ છેનિર્ણાયકોએ અભિપ્રાય માગ્યો ત્યારે યજમાન સંસ્થાએ ઉદારતા દાખવી પ્રથમ નંબર છોડી દીધોતેવી ઉદારતા રાખવા દેશનો નાગરિક મન મનાવી શકશેત્યારે ખરા “વૈષ્ણવજન” બનવાનો માર્ગ મોકળો થઈ શકશેઆપણે લોભ ત્યાગી ઉદાર બનવું પડશેમેનાબા આવા કાર્યના સાક્ષી બની ચૂક્યાં છેતેથી  કદાચ તેમને વૈષ્ણવજન” શબ્દ સ્પર્શી શક્યો છે.

જ્યારે આભ ફાટે છેત્યારે તેને થીંગડું દઈ શકાતું નથીપણ વરસાદથી બચવા આપણે છત્રીનો ઉપયોગ કરી શકીએ છીએતેમ લોભ લાલચરૂપી અંધકારને ખાળવા આપણે પોતે ઉદાર બનવા યત્ન આદરવો જોઈએજેમજેમ આપણે ઉદારતા બતાવવા લાગીએ છીએતેમતેમ અન્ય લોકો પણ આપણને અનુસરવા લાગે છેબીજાની પરવાર કર્યા વિના સારા કાર્યનો જે પ્રારંભ કરી દે છેતે દરેક સાચો “વૈષ્ણવજન” ગણાય છેવૈષ્ણવ ધર્મ પાળનાર વ્યક્તિ  વૈષ્ણવજન નથીતેમ વિશ્લેષકોનું માનવું છેપોતાનું ઉદાહરણ આપી કવિ કહે છે: ‘જે આવો ઉદાર “વૈષ્વજન” બની શકે છેતેની એકોતેર પેઢી ઊગરી જાય છે.’ પદના શબ્દો કોઈપણ ધર્મનો વ્યક્તિ પોતાના ધર્મનો શબ્દ મૂકી ગાય શકે છે.

દા. “મુસ્લિમજન તો તેને રે કહીએ જે પીડપરાઈ જાણે રે,

પરદુ:ખે ઉપકાર કરે પણ મન અભિમાન  આણે રે”

બીજાને મદદ કરી મનમાં પણ અભિમાન  અનુભવે તે ખરો ‘વૈષ્ણવજન’ છેમાનવ અવતાર પણ આપણને અન્યના ઉપકારથી મળ્યો છેતે દરેક વ્યક્તિએ યાદ રાખવું જોઈએઆપણે અન્ય પર ઉપકાર કરી તેનું ઋણ અદા કરવું જોઈએજો આપણે તેમ કરી શકતા હોઈએ તો તેમાં પણ પરમતત્વની કૃપા હોય છેતેથી આપણે તેનું અભિમાન કરવાનો કોઈ અર્થ રહેતો નથીઆપણે  બધું એક ક્ષણમાં ભૂલી જતા હોઈએ છીએમનમાં શ્વાન જેમ ફુલાયી કહેતા હોઈએ છીએ.

હું કરું, હું કરું સકટનો ભાર જેમ શ્વાન તાણે”

કૂતરાને ખબર નથી સકટ અર્થાત ગાડું તેનાથી ચાલતું નથીગાડું ચલાવનાર બીજું કોઈ છે. આપણને પણ ખબર નથી હોતી કાર્ય થયું છેતેમાં આપણું કોઈ પરાક્રમ નથીતેને સફળ બનાવામાં કોઈ અન્યનો ટેકો આપણને છૂપી રીતે મળ્યો છેતેથી આપણે અભિમાન કરવા લાગીએ છીએ. હમણાં-હમણાં નાનામોટા કાર્યોમાં આવું ખૂબ સાંભળવા મળે છેનોકરી માટે પસંદ થયેલા પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારોને રેલવેમાં યોગ્ય કામગીરી ફાળવવામાં આવી  હતી પ્રશ્ને ઘણી ધમાલ ચાલતી હતીકેટલાક મિત્રો  અંગે વ્હોટસ એપ પર ચર્ચા પણ કરતા હતાસોનાણીસાહેબને કહેવાની જરૂર નથીતેને કહેવાથી જશ તેમને મળી જશેતેથી મારી પર મદદ માટે ફોન આવ્યો હતોતેમ છતાં મળવા ગયેલા લોકોએ મને બોલાવ્યો નહિઅમારા કનુભાઈ પટેલનો ફોન આવ્યો ત્યારે મને ખબર પડી કે ઓર્ડર અંગે ચર્ચા કરવા રેલવે અધિકારીઓને મળવા મિત્રો પહોંચી ગયા છેબધું વેરવિખેર થયા પછી મારો સંપર્ક કરવામાં આવ્યોઈશ્વરકૃપાથી પરિણામ ઘણું સારું મળ્યું છેઆપણે સ્થૂળ પ્રસંશાથી અળગા થઈ શકીશુ તો જરૂર સુખી બની શકીશું. “વૈષ્ણવજન” નો  સાર છેમહાશક્તિ અથવા પરમતત્વનો  સંદેશ પણ છેબાપુની પ્રેરણા મને અને તમને “મારું જીવન   મારી વાણી” ગગનભેદી નાદથી રાતદિવસ ઢંઢોળે છે.

ગાંધી બાપુ તમે અવતાર લીધો,

ભૂમિનો ભાર ઉતારી દીધો.

બાપુ તમે મોટો ઉપકાર કીધો,

પણ અમે તેનો વિનાશ કરી દીધો”

ધાર્યું હતું આઝાદ વૃક્ષના મીઠાં ફળ ચાખીશું,

કોઈ કાગડો આવી વૃક્ષના બધાં ફૂલ ખાઈ ગયો,

કહે “ઝગમગ” આવી મૂળ તેના કઠિયારો ખોદી ગયો.

અસ્તુ

લેખક:- લાભુભાઈ ટી. સોનાણી
Previous articleબનાસકાઠા જીલ્લાના થરાદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો
Next articleદામનગર પાલિકા પ્રમુખ ની અધ્યક્ષતા માં ત્રીદિવસીય ગ્રીનજોબ શિબિર નો પ્રારંભ નિષ્ણાંત વક્તા નિખિલેશ મહેતા નું મનનીય માર્ગદર્શન