અલંગ માહકાળી ચોકડી પાસેથી અલંગ મરીન પોલીસ સ્ટેશનના ગેંગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

454

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ. ભાવનગર જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીમાં પકયેલ ગુન્હેગારો ઉપર તેના વિરૂધ્ધમાં નોઘાયેલ ગુન્હાનો અભ્યાસ કરી આ આવા ગુન્હેગારોને ઝેર કરવા માટે એક ગેંગ કેસ તૈયાર કરી આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો.૪૦૧,૩૪ વિગેરે મુજબનો ગુન્હો અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ અને તે ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી પકડી લેવા સુચના કરેલ, જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના શકદારો તથા ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ ની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાથન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં અલંગ મહાકાળી ચોકડી પાસે આવતા એલ.સી.બી. સ્ટાફના માણસોને ખાનગી રાહે હકિકત મળેલ કે, અલંગ મરીન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન- ૧૧/૨૦૨૦ ઇ.પી.કો.૪૦૧,૩૪ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતો-ફરતો આરોપી અશોક રઘા બારૈયા રહે.હાથબ બંગલા વાળો અલંગ પ્લોટ નં-૧૩૧ સામેના ભાગે ઉભો છે. તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા ઉપર આવી તપાસ કરતા બાતમી વાળો ઇસમ મળી આવતા તેને પકડી લઇ તેનું નામ સરનામું પુછતા અશોકભાઇ રઘાભાઇ બારૈયા ઉવ.૩૪ રહે. હાથબ બંગલા તા.જી.ભાનગર વાળો હોવાનુ જણાવેલ જેથી મજકુરની પુછપુરછ કરતા ઉપરોક્ત ગુનાના કામે તે નાસતો-ફરતો આરોપી હોય તેમ ગુનાની કબુલાત કરતા પોતે આ ગુનામાં સહ આરોપી હોય તેને પકડવાનો બાકી હોય તેમ જણાવેલ.જેથી મજકુર ઇસમ ઉપરોક્ત ગુનાના કામે CRPC કલમ ૪૧(૧) (આઇ) મુજબ ઘોરણસર કાર્યવાહી કરી અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.ન.૧૧/૨૦૨૦ ઇ.પી.કો.-૪૦૧,૩૪ વિગેરે મુજબનો ગુન્હો નોઘાયેલ આગળની કાર્યવાહી કરવા અલંગ મરીન પોલીસ સ્ટેશન સોપી આપવા તજવીજ કરવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.શ્રી.એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયા તથા પો.કો. અરવિંદભાઇ બારૈયા તથા ડ્રા પો.કો. બ્રિજરાજસિંહ ગોહિલ

Previous article૮૦ દિવસ ભૂરખીયા હનુમાનજી મંદિર બંધ રહ્યાં બાદ આજથી દર્શન શરૂ
Next articleસ્વા. ગુરુકુલ દામનગરની રમત-ગમતનાં મેદાનની દિવાલ અને વૃક્ષ વરસાદને ધરાશાયી.કોંઈ જાનહાની નહીં