યુનિવર્સિટીનાં ૨૮૦૦૦ પરીક્ષાર્થીઓને રોગ પ્રતિરોધક હોમિયોપેથીક દવાના ડોઝનુ વિતરણ

1064

ભાવનગર યુનિવર્સિટી દ્વારા શરૂ થયેલ વિવિધ અભ્યાસકૂમની સ્નાતક કક્ષા ની પરીક્ષા માં કુલપતિના માર્ગદર્શન હેઠળ તથા સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ના સૌજન્ય દ્વારા ભારત સરકાર ના આયુષ મંત્રાલયે ભલામણ કરેલ છે તેવી કોરોના , સ્વાઈન બ્લ્યુ વિગરે જેવા વાઈરલ રોગો સામે રોગ પ્રતિકાર શકિત વધારવા માટે અને તેની સામે રક્ષણ મળી રહે તે માટે ની હોમિયોપેથીક દવા ના ડોઝ નું શહેર અને જીલ્લા ના મળી ને કુલ ૩૮ જેટલા તમામ પરીક્ષા ના કેન્દ્રો પર રૂબરૂ જઈ તમામ ૨૮૦૦૦ થી વધારે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ તથા પરીક્ષા ના સંચાલન માં રોકાયેલ તમામ સ્ટાફ ને આ મહામારી માં તેમનું આરોગ્ય સચવાઈ રહે અને સારી રીતે સ્વસ્થતા થી પરીક્ષા આપી શકે તે માટે દવા ના ડોઝ આ તમામ વિદ્યાર્થીઓ ને તેમના યુનિવર્સિટી દ્વારા ફાળવાયેલ શહેર અને જીલ્લા ના તમામ પરીક્ષા કેન્દ્ર પર જઈ માનનીય કુલપતિશ્રી ના માર્ગદર્શન મુજબ વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ હોસ્પિટલ ના ઈન્ટર્ન તબીબો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સીંગ તથા માસ્ક પહેરવાની ની કાળજી સાથે આ દવાનો નું તમામ વિદ્યાર્થીઓ ને વ્યકિતગત રીતે વિતરણ કરવા માં કરવા માં આવ્યું હતું . સમગ્ર કાર્ય ની વ્યવસ્થા માં યુનિવર્સિટી પરીક્ષા તંત્ર તથા તમામ પરીક્ષા કેન્દ્ર કોલેજ નો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો . અત્રે ઉલ્લેખનીય છે કે , માનનીય કુલપતિ ના માર્ગદર્શન થી યુનિવર્સિટી ની ગત પાંચચરણ ની પરીક્ષા માં કુલ મળી ને આજ રીતે ૩૫૦૦૦ થી વધારે આ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને પણ આ હોમિયોપેથી દવા ના ડોઝ નું વિતરણ કરવામાં આવેલ અને તે પરીક્ષાઓ સફળતા રીતે સંપન્ન પણ થઈ . તેમજ સંસ્થા દ્વારા છેલ્લા ચાર માસ થી તમામ લોકો માટે સિદસર હોસ્પિટલ ખાતે થી આ રોગ પ્રતિરોધક શકિત વધારવા માટેની દવાઓ નું વિના મૂલ્ય વિતરણ થઈ રહયું છે , અને અત્યાર સુધી માં સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડિકલ કોલેજ દ્વારા આશરે ચાર લાખ થી વધારે લોકો ને આ દવા ના ડોઝ વિના મૂલ્ય આપવામાં આવ્યા છે , તેમ સંસ્થા ની એક યાદી મારફત જણાવવા માં આવેલ છે .

Previous articleપાલીતાણામાં યુવાનની હત્યાના મામલે વધુ ત્રણ ગિરફ્તારઃ આરોપીઓ ૩ દિવસના રિમાન્ડ પર
Next articleગુજરાત એરવિંગ (જીઊદ્ગ) દ્ગઝ્રઝ્ર ભાવનગર દ્વારા બોર તળાવની સાફ સફાઈ કાર્યક્રમ યોજાયો