શુક્રવારથી કવોડરેન્ટીડસ ઉલ્કા વર્ષાનો અવકાશી નજારો

450

દુનિયાભરમાં લોકોએ ડિસેમ્બરમાં તા. ૭ અને ૧૪ જેમીનીડસ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ નજરો નિહાળ્યો હતો. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી આરંભી છે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કાવર્ષનો અદ્દભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. રાજયભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન આદર્યા છે. ગુજરાતમાં તા. ૪ ના રોજ આકાશમાં ઉલ્કા વર્ષા રાત્રિના ૨ઃ૨૧ થી ૧૨૦ મીટરની ઝડપથી ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. જાથાના રાજય ચેરમેન જયંત પંડયા જણાવે છે કે જાન્યુઆરી ૧ થી ૪ – ચાર દિવસ સુધી આકાશમાં કવોડરેન્ટીસ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. તા. ૩ અને ૪ ના રોજ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના ૧૫ થી ૧૦૦ અને વધુમાં વધુ એકસો ઉલ્કાવર્ષા દિવાળીના ફટાકડાની આતશબાજીના રોમાંચક દ્રશ્યો આકાશમાં જોવા મળશે. અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા દ્રશ્યો જોઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ હોય છે.કવોડરેન્ટીસ ઉલ્કાવર્ષાની મહત્તમ ચાર દિવસ મધ્યરાત્રિથી પરોઢ સુધી આકાશમાં જોવા મળશે . નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે . ઉલ્કાવર્ષા વર્ષ દરમ્યાન ૧૦ થી ૧૨ વખત અને વધુમાં વધુ ૫ વખત આકાશમાં જોવા મળે છે . આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે . સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે . આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે . અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે . આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે . જયારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે . આવા સમયે તેમનો મહતમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે . વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા , અગ્નિ સ્વરૂપે અવકાશમાં જોવા મળે છે . તેને પ્રકારમાં ફાયરબોલ , અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે . ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે .ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસ – સૂર્યપ્રકાશ દરમ્યાન પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથલ્‌. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે. તેની રજને, ધૂળને ઓળખવા માટે લોહચુંબકનું પરીક્ષણ જરૂરી છે.

Previous articleચાની કિટલી સર્કલની તોડફોડ
Next articleપાંચ ડીવીઝનમાં પકડાયેલ પોણો કરોડ રૂપિયાનો દારૂ નાશ કરાયો