ભાવનગર શહેર ભાજપ દ્વારા ઉકાળો, વિસામો અને ટિફિન સેવાઓ

460

ભાવનગર શહેર ભાજપ દ્વારા કોરોના મહામારી સામે લડવા માટે ઉકાળો, વિસામો અને ટીફીન સેવાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં આજ થી ઉકાળો અને વિસામો ની શરૂ કરવામાં આવ્યો છે અને ટીફીન સેવા શહેરના ૩૫૦ થી વધુ ઘરોમાં સેવા આપવામાં આવી રહી છે.શહેર ભાજપ દ્વારા વિસામો શરૂ કરાયોભાજપ કાર્યાલય બહાર વિસામો શરૂભાવનગર શહેર ભાજપ દ્વારા સર ટી. હોસ્પિટલ સામે કાર્યાલયે સર ટી. કે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓના સગા સબંધીઓ માટે મંડપ નાખી વિસામોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સુવા, બેસવાની, પંખા તથા ઠંડા પાણીની વ્યવસ્થા કરાઇ છે જેનો દર્દીના સગાઓ દ્વારા લાભ લઈ રહ્યા છે, આગામી સમયમાં દર્દીઓના સાગા માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

ઉકાળો વિતરણ આજથી ૫૦ સ્થળોએ શરૂતળાજા તાલુકાનાં દિહોર ગામના વૈદ્ય અને આયુર્વેદ ક્ષેત્રે ખૂબ મોટુ નામ ધરાવતા મહેન્દ્રસિંહ સરવૈયાની ફોર્મ્યુલા મુજબ ગળો (અમૃતા), તુલસી, સૂંઠ જેવી વિવિધ ઔષધીઓ મેળવીને બનાવવામાં આવતો ઉકાળો, કોરોના જેવા રોગો સામે રક્ષણ મેળવવા સહાયરૂપ થાય છે. ભાવનગર શહેર ભા.જ.પા. સંગઠન દ્વારા આજથી શુક્રવારથી ૧૦ દિવસ સુધી, શહેરના ૫૦ જેટલા સ્થળે આવા આરોગ્યવર્ધક ઉકાળા વિતરિત કરવામાં આવ્યા હતા, આ ઉકાળા વિતરણ કાર્યક્રમના ઇન્ચાર્જ અરુણભાઈ પટેલ સહ ઇન્ચાર્જ ધર્મેન્દ્રભાઈ મહેતા, પાર્થભાઈ ગોંડલિયા રહેશે. શિવાજી સર્કલ, પાણીની ટાંકી, નિલમબાગ સર્કલ જેવા પચાસ જેટલા વિવિધ સ્થળોએ, સવારે ૭ થી ૯ વાગ્યા સુધી આ આરોગ્યવર્ધક ઉકાળાનો લાભ લેવા શહેર ભાજપ દ્વારા લોકોને અનુરોધ કરાયો છે.ભાવનગર શહેર ભાજપના અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે કોરોના સામે સમગ્ર દેશ લડી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી સેવાના માધ્યમ થી આ સેવાઓ શરૂ કરવામાં આવી છે જેમાં શહેર ભાજપ સંગઠન ટિફિન સેવા પણ શરૂ કરાઇ છે જેમાં જે લોકો પોતાના ઘરમાં પોઝિટિવ આવ્યા હોય અને ઘરની બહાર નીકળી શકતા નથી તેવા લોકો માટે ભાવનગર શહેર ના ૧૩ વોર્ડમાં ટિફિન સેવા પણ શરૂ કરાઈ છે, આ સેવાનો લાભ ૩૫૦ થી વધુ પરિવારો લઈ રહ્યાં છે, ભાવનગર સર ટી હોસ્પિટલ માં દાખલ દર્દીઓના સગાઓ માટે વિસામો બનાવવા આવ્યો છે અને બધી સુવિધાઓ મળી રહે, અને આગામી દિવસોમાં જમવાનું પણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને વધુમાં જણાવ્યું હતું કે આજ થી શહેરના ૫૦ સ્થળોએ આયુર્વેદિક ઉકાળોનું પણ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, લોકો બહોળા પ્રમાણમાં લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.

Previous articleશિશુવિહાર સંસ્થા દ્વારા એક વર્ષ દરમિયાન ૧૩ નેત્રયજ્ઞ શિબિર યોજી ૧૮૨૦ દર્દીઓને સારવાર અપાઈ
Next articleવિરોધપક્ષના નેતા તરીકે ભરતભાઈ બુધેલીયાની નિમણૂક કરવામાં આવી