ભાવ. યુનિ.ના ૨૬ પરિક્ષા કેન્દ્રોમાં ઓફલાઈન પરિક્ષાનો પ્રારંભ

163

ત્રણ સેશનમાં અને ત્રણ તબક્કામાં જુદી જુદી ફેકલ્ટીઓમાં પરિક્ષા લેવાશે
મહારાજા કૃષ્ણકુમારસિહંજી ભાવનગર યુનિ.દ્વારા આજથી યુનિવર્સિટીમાં યુ.જી. સેમેસ્ટર-૬ તથા પી.જી સેમેસ્ટર-૪ તથા એલએલબી સેમ-૧ અને ૬, બી.એડ. અને બી.એડ. એચઆઇ સેમ-૪, એમસીએ સેમ-૧, એમબીએ સેમ-૧-૪, એમએચઆરડી સેમ-૪, ટીવાબીએ, ટીવાયબીકોમ (એક્સટર્નલ)ની પરીક્ષાઓના પ્રારંભ થયો છે. આ પરિક્ષાઓમાં જુદી જુદી ફેકલ્ટીના કુલ ૧૫,૬૫૨ વિદ્યાર્થીઓ નોંધાયા છે. રોજ ત્રણ સેશનમાં રોજ ત્રણ સેશનમાં પરીક્ષા લેવાશે.યુનિ. દ્વારા પરીક્ષાના કુલ ૩ તબક્કા રહેશે. જેમાં આજે તા.૫ જુલાઇથી શરૂ થનારા પ્રથમ તબક્કા અંગે માહિતી આપતા ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું હતુ કે કોરોનાની મહામારી વચ્ચે પરીક્ષા ઓફલાઇન લેવાશે અને તેમાં સરકારની ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરાવાશે. એન્ટ્રી અને એક્ઝીટ અલગ અલગ રહેશે. શહેર અને ગ્રામ્યના કુલ ૨૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ત્રણ સેશનમાં પરીક્ષા લેવાશે. કુલ ૪૨ માર્કસની આ પરીક્ષા દોઢ કલાકના સમયમાં આપવાની રહેશે. પ્રથમ તબક્કામાં કુલ મળીને ૧૨૨૩ વિદ્યાર્થીઓએ ઓનલાઇન પદ્ધતિએ પરીક્ષા કેન્દ્ર ચેઇન્જ કર્યા છે. તે તમામને આ સુવિધા અપાઇ છે.એક બ્લોકમાં ૨૦ જ વિદ્યાર્થીઓ હોય જરૂરી સેનેટાઇઝેશન અને અન્ય સુવિધાઓ મળી રહે તેમજ કોરોનાની ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન થાય તેની પૂરતી તકેદારી લેવામાં આવશે. બહારગામથી આવતા વિદ્યાર્થીઓ માટે યુનિ.ની હોસ્ટેલો ખાતે પરીક્ષા દરમિયાન રહેવાની વિનામૂલ્યે વ્યવસ્થા પણ ગોઠવાઇ ગઇ છે.

Previous articleભાવનગર શહેર-જિલ્લામાંથી છ દિવસથી મેઘરાજા રૂઠ્યા, વરસાદ ન પડતાં ચિંતાના વાદળો ઘેરાયા
Next articleભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિતે રથ પર નિલચક્ર અને કળશની પૂજા વિધિ કરાઈ