પાલીતાણા માધવ મેદાન ખાતે નટ ખટ ગુપ દ્વારા જન્માષ્ટમી નીયમિતે મટકી ફોડ કાર્યકમ યોજ્યો

152

ભારત દેશ ને કોરોના માંથી મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરાઈ
પાલીતાણા શહેર માં છેલ્લા ૨૫ વર્ષ થી માધવ મેદાન ખાતે નટખટ ગુપ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ દિવસ નિયમિતે સાંસ્કૃતિક કાર્યક્રમ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ તેમજ મટકી ફોડ નો કાર્યક્રમ યોજાય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના ની મહા મારી વચ્ચે નટખટ ગુપ દ્વારા આ વર્ષે ભારત દેશ અને વિશ્વને કોરાના માંથી મુક્તિ મળે તેવા હેતુ થી આ વર્ષે સત્યનારાયણ ભગવાનની કથા રાખેલ હતી કથા દરમિયાન ભગવાન ને પ્રાથના કરવામાં આવી હતી કે ભારતદેશ કોરોના મુક્ત થાય ત્યાર બાદ રાસ ગરબા નો કાર્યકમ સોસાયટી ના બહેનો માટે રાખવામાં આવ્યો હતો તેમજ ભગવાન શ્રીકૃષ્ણ નો જન્મ ઉત્સવ માનવામાં આવ્યો હતો ત્યાર બાદ વરસો ની પરંપરાગત મટકી ફોડ કાર્યકમ યોજ્યો હતો આ કાર્યકમ નુ આયોજન રામભાઈ રાઠોડ ચેતનભાઈ બારડ આશીષ ડેર તેમજ મનીષભાઈ ચૌહાણ તેમજ નટખટ ગુપ દ્વારા કરવામાં આવ્યું હતું…

Previous articleભાવનગર જિલ્લાના તાલુકાઓમાં ૧ થી ૪ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો
Next articleશ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા ખાતે નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ વર્ગનું ઉદ્ઘાટન કરાયું