વિરાટ કોહલી પર શું હવે દબાણ વધશે? : ગૌતમ ગંભીર

109

મુંબઈ, તા.૧૪
ગૌતમ ગંભીરે નિવેદનમાં જણાવ્યું કે વિરાટ કોહલીને પોતાની રમતને ઝડપથી ગોઠવવી પડશે અને ટી -૨૦ મોડમાં ઉતરવું પડશે અને ડી વિલિયર્સ સામે એક પણ પડકાર હશે કારણ કે તે કોઈ પણ મેચ રમ્યા વિના ટુર્નામેન્ટમાં આવી રહ્યો છે. તેણે કહ્યું કે કોહલી પાસે પણ એડજસ્ટ થવાનો ઓછો સમય હશે IPL રવિવારથી શરૂ થશે.RCB અત્યારે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, તેની પાસે પ્લે-ઓફમાં સ્થાન મેળવવાની સારી તક પણ છે. તે સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે બીજા તબક્કાની પોતાની પ્રથમ મેચ રમશે IPL૨૦૨૧ નો બીજો તબક્કો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે અને આ પહેલા પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે કેપ્ટન વિરાટ કોહલીને લઈને નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું છે કે, વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ થોડા દિવસોમાં શરૂ થનારી લીગમાં દબાણ હેઠળ રહેશે, કારણ કે તેઓ એક અલગ પડકારનો સામનો કરશે.

Previous articleપવનદીપે ઘૂંટણિયે બેસીને અરુણિતાને ગુલાબ આપ્યું
Next article૨૦મી સદીની ભૂલો ૨૧મી સદીમાં સુધારાઈ છે : મોદી