બે બાઇકનો ધડાકાભેર અકસ્માત થતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું એક ઈજાગ્રસ્ત

325

તળાજા થી કામરોલ તરફ જતા રોડ ઉપર શોભાવડ ગામ નજીક બે બાઇક નો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી અને એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું મૃતકનું નામ ચંદુભાઈ ભાનુશંકર મહેતા અને હાલ તળાજા શહેરમાં આવેલ અંબિકા એન્જિનિયરિંગ વર્કસ માં ઘણા સમયથી મજૂરી કામ કરતા હતા અને આજે તેઓનો બાઇક અકસ્માતમાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થતા ચકચાર સાથે અરેરાટી મચી જવા પામી છે હાલ તેમના મૃતદેહને તળાજા ની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે બનાવને લઇને તળાજા પોલીસ ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી ગઈ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે

Previous articleઆજે ભાવનગરમાં ૯૨ નવા કોરોનાના કેસ નોંધાયા, ૩૨૫ કોરોનાને માત આપી, જયારે ૫ના મોત
Next articleદેશના સામાન્ય બજેટને આવકારતા રાષ્ટ્રીય ભાજપા ઉપાધ્યક્ષ અને સાંસદ ડૉ. ભારતીબેન શિયાળ-દેશના અર્થતંત્રને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો