માર્ગ અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

895

શહેરના ચિત્રા સિદસર રોડ પર વાહન અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ શ્રીમજીવી યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા ગરીબ પરિવારમાં ઘેરા શોકનુ મોજુ ફરિ વળ્યું છે. સમગ્ર બનાવ અંગે આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ મસ્તરામ બાપાના મંદિર પાછળ રહેતો અને કડીયાકામની મજુરી કરતો શ્રમજીવી યુવાન રમેશ તુલસીભાઈ ડાભી ઉ.૩૪ આજથી ૫ દિવસ પૂર્વે બાઈક લઈને ચિત્રા સિદસર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે વેળા ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસે અકસ્માત નડતા ગંભીર ઈજા સાથે શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતા ડી.ડીવીઝન પોલીસે કેસ કાગળો તૈયાર કરી અકસ્માત સર્જી નાસી છુટેલ વાહન ચાલક વિરૂધ્ધ તપાસ હાથ ધરી છે.

Previous articleખંભાળિયામાં ૧૨, માણાવદરમાં ૧૧ ઇંચ વરસાદ
Next articleસિહોરની જુની કોર્ટનુ મકાન ધરાશાયી