શહેરના જવાહર મેદાનમાં બનાવાયેલી ગેરકાયદેસર ઝૂપડપટ્ટી આજે તંત્ર દ્વારા હટાવાઈ હતી. અગાઉ રસાલા કેમ્પ સામેની આતાભાઈ વાળા રોડ પર રેલ્વેની જમીનમાં બનાવેલી ઝુપડપટ્ટી હટવાતા તે તમામે જવાહર મેદાનમાં ઝુપડા બાંધી દીધેલા જેને આજે તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યા હતાં. અને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.