સિહોરમાં પરશુરામ જયંતિની ઉજવણી નિમિત્તે કાર્યાલય ખુલ્યું

646

સિહોર સમસ્ત બ્રહ્મસમાજ યુવાપરશુરામ ગ્રુપ આયોજીત આગામી તારીખ ૭/૫/૧૯ ના રોજ વિષ્ણુ ના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીના જન્મોત્સવ ની શોભાયાત્રા નિકળનાર હોય જેની તૈયારી ના ભાગરૂપે આજરોજ કાર્યાલયનો પ્રારંભ નગરપાલિકાના પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી ના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો જેમાં બ્રહ્મસમાજ ના અગ્રણીઓ, યુવાટીમ, મહિલાપાંખ સહિત દરેક બ્રહ્મ જ્ઞાતિઓના પ્રમુખ સહિત હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતીમાં આ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

૭/૫/૧૯ ના રોજ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા સિહોરના રાજમાર્ગ પર નિકળનાર હોય તથા એક ભવ્ય બાઈકરેલી નું પણ આયોજન કરેલ છે. તેની તડામાર તૈયારીઓ ચાલી રહીછે  આ બાબતે મિટિંગો ગ્રુપ મીટીંગો થી સારામાં સારી અને ભવ્યાતિભવ્ય આ શોભાયાત્રા બને તે માટે સિહોર તથા સમગ્ર પંથકમાં વસતા ભૂદેવો ને ઉપસ્થિત રહેવા યુવાપરશુરામ ગ્રુપ પ્રમુખ દીપકભાઈ જાની દ્વારા આહવાન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રા બાદ બ્રહ્મ ચોર્યાસી નું પણ આયોજન હોય તો દરેક બ્રહ્મબંધુ એ આ મહાપ્રસાદનો લાભલેવા તથા શોભાયાત્રામાં પધારવા યુવાપરશુરામ ગ્રુપ કોર કમિટી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Previous articleહિમોફોનીયાની સારવાર માટે રાજુલાનાં સાત દર્દીઓને ભાવનગર હોસ્પીટલ મોકલાયા
Next articleદામનગરનો વણિક પરિવાર લગ્ન પ્રસંગે ગયો : તસ્કરો ઘરે પહોંચ્યા