વલભીપુરમાં ગણેશોત્સ્વની ઠેર-ઠેર સ્થાપના કરી ઉજવણી : ધાર્મિક કાર્યક્રમો

411

વલભીપુર શહેર ખાતે દર વર્ષની માફક આ વર્ષ પણ ગણેશોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. શહેરમાં ઠેર-ઠેર અનેક વિસ્તારોમાં ગણપતી ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. જેમાં ભીડભંજન ચોક, બહુચરાજી શેરી, ભટ્ટ શેરી, પાટીવાડા વિસ્તાર, પોસ્ટ ઓફિસ પાસે, વિગેરે અનેક વીસ્તારોમાં ખુબ આકર્ષીત મુર્તિની સ્થાપના કરેલ અને રાત્રીના ધાર્મિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. જેમાં તમામ સ્થળોએ સવાર-સંજ પુજા-પાઠ કરી ગણેશજીની સઆધારના કરી પ્રાર્થના થઈ રહી છે. આમ અનેક ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભવ્ય રીતે ગણેશોત્સવનું શહેર ખાતે ઉજવણી થઈ રહી છે.

Previous articleચાંગા ખાતે ફાર્મા વિઝન-૨૦૧૯ના દ્વિ દિવસીય નવમા રાષ્ટ્રીય સેમિનારનો  પ્રારંભ કરાવતા : પટેલ
Next articleઘરફોડ ચોરીના ગુન્હામાં નાસ્તા-ફરતા આરોપીને ઝડપી લેતી એલસીબી