તા.૦૨-૦૯-ર૦૧૯ થી ૦૮-૦૯-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય

749

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શ્રીગણેશ સ્થાપનની શુભ શરૂઆત સાથે મળે છે. તેથી માંગલિક કાર્યો સાથે કાર્ય સફળતાના યોગ મળશે. નવા કાર્યોની શરૂઆત શકય બનશે. માત્ર મહત્વના નિર્ણયોમાં યોગ્ય વ્યક્તિની સલાહ માનવી જરૂરી બનશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું આયોજન શરૂ થઈ શકશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને શ્રીગણેશ સ્થાપન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતી અને સુર્ય મંગળનો અશુભ અંગારયોગ નિરાશા અને નિષ્ફળતા જ આપી શકે છે. માત્ર જન્મના ગ્રહો અને શ્રીગણેશજીના આર્શીવાદ હશે તો જ કાર્ય સફળતા મળી શકે છે. નવા કાર્યો માટે સમય શુભ નથી મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદોન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી અશુભ સફળ મળી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી અશુભફળ મળી શકે છે. કોર્ટક ચેરી અને મોસાળપ ક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકુળ સપ્તાહ મળી શકે છે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ પરાક્રમ સ્થાનની પ્રબળતા અને શ્રીગણેશજીના આર્શીવાદથી સંપુર્ણ કાર્ય સફળતાના યોગ મળે છે. માત્ર જુનવાણી વિચારોનો ત્યાગ કરીને વર્તમાનમાં જીવવું જરૂરી છે. નવા પરિચયો લાભદાયી રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો  સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થ્ક અને જાહેર જીવનથી લાભ મળશે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગણેશજી પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ અને શ્રીગણેશજીની આર્શીવાદથી રાહુગ્રહના અશુભ બંધનયોગમાં પણ કાર્ય સફળતાના યોગ મળે છે. માટે વાણીવર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવવી જરૂરી છે. મહત્વના નિર્ણયો સ્વહસ્તે લેવા જરૂરી છે. અન્યના ભરોસે  ન રહેવું. મિલ્કત અને વારસાઈ કાર્યોથી લાભ રહેશે.  પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી વાંચવાથી લાભ રહેશે. બહેનો અને વીદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહનું ભ્રમણ રાશીપતી સુર્યગ્રહનું આપની રાશી પર ભ્રમણ કપરા કાર્યો પણ સરળ બનાવી શકશો માત્ર વધુ પડતો આત્મ વિશ્વાસ અને અપેક્ષાનો ત્યાગ કરવો જરૂરી છે. સંતોષીનર સદા સુખીને વાકય યાદ રાખવાથી લાભ રહેશે.  મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો પત્નું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વર્ત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે.બ હેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જે છે તે પરિસ્થિતિ સાચવવી અને શ્રીગણેશજીની ભક્તિમાં સમય પસાર કરવાનું સુચવે છે. શનિગ્રહની પનોતી અને સુર્ય મંગળનો અશુભ અંગાર યોગ નિરાશા અને નિષ્ફળતા જ આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિતય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે અને વિશેષમાં શ્રીગણપતીજીના આર્શીવાદ હશે તો ન ધારેલી સફળતા મળશે. નવા કાર્યોનું આયોજન શુભ રહેશે. નવા પરિચયો ભવિષ્ય માટે લાભદાયી પુરવાર થશે. મિલ્કત અને વારસાઈકાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને મોસાળ પક્ષથી સહકાર મળશે. આપના માટે  સોમવારના વ્રત અને લક્ષ્મીજીનુ પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળસમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ રાહુ ગ્રહ સિવાય દરેક ગ્રહોના આર્શીવાદથી કાર્ય સફળતા મળે છે. માત્ર કાલ્પનીક ભય અને નિર્બળ વિચારોનો ત્યાગ કરવો જરૂરી છે. માત્ર નિરપેક્ષ ભાવના કેળવશો તો ભવિષ્યમાં જ તેનો લાભ મળશે. મિલ્કત અને વારસાઈકાર્યોથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વર્ત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના કપરા સમયમાં પણ શ્રીગણેશજીની કૃપાથી કાર્ય સફળતાના યોગમ ળે છે. માત્ર સફળતાની ગતી ધીમી હશે તેથી ધીરજ અને સંયમ કેળવવા જરૂરી બનશે. તેથી આવેશ અને ઉશ્કેરાટનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો પ્રથમ તબકકો અને સુર્ય મંગળનો અશુભ અંગારયોગ નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. જન્મના ગ્રહો અને શ્રીગણેશજીના આર્શીવાદ હશે તો જ કાર્ય સફળતા મળી શકે છે. નવા કાર્યો માટે સમય  શુભ નથી. મિલ્કત અને વારસાઈકાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક  કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ રાશીપત્તી શનિ અને ગણેશજીના આર્શીવાદ મળે છે. તેથી કાર્ય સફળતાનો યોગ મળે છે. નવા કાર્યોની શરૂઆત પણ શુભ રહેશે. માત્ર મહત્વના નિર્ણયોમાં હિતેચ્છુઓનીસલાહ માનવી જરૂરી છે. જે લાભદાયછી રહેશે. મિલ્કત અને વારસાઈકાર્યોનું નિરાકરણ મળશે.  પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શની ચાલીશા ના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ રાહુગ્રહના અશુભબંધન યોગના કપરા સમયમાં પણ શ્રીગણેશજીના આર્શીવાદથી ગમે તેવા રોગશત્રુ સામે વિજય મળશે. નવા કાર્યોની શરૂઆત શુભ રહેશે. માત્ર કાલ્પનીક ભય અને નિર્બળ વિચારોનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક પરિસ્થિતિ જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ સહસ્ત્રના જાપથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

Previous articleબાબરાની શિમમાંથી પસાર થતી સૌની યોજના પાઈપ લાઈન જમીનમાંથી બહાર આવી કુતુહલ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે