ભાવનગરનો શેત્રુંજી ડેમ એક જ સપ્તાહમાં સતત પાંચમી વખત ઓવરફ્લો

146

પાણીનો ભારે પ્રવાહ ડેમમાં આવવાને લઈ ડેમની સપાટી એક નિયત અંકે જાળવી રાખવા દરવાજા એક ફૂટ સુધી ડેમના ૫ દરવાજા ખોલવામાં આવ્યાં, નદીઓમાં ૪૫૦ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુંજી ડેમ એક જ સપ્તાહમાં સતત પાંચમી વખત ઓવરફ્લો થયો છે. રવિવારે મોડીરાત્રીથી જ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમ ઓવરફ્લો થયો છે. પાણીના સતત આવકને લઈ ડેમ સત્તાવાળને જળસપાટી જાળવી રાખવા આજે સોમવારે સવારે એક ફૂટ સુધી ૫ દરવાજા ખોલવામાં આવ્યાં હતા. સૌરાષ્ટ્રમાં સૌથી મોટા જળાશય તરીકે ખ્યાતનામ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલો શેત્રુંજી ડેમ એક જ અઠવાડિયામાં સતત પાંચમી વખત છલકાયો છે. જેમાં તારીખ ૨૦ ના રોજ ૬ દરવાજા ખોલવામાં આવ્યાં હતા. ત્યારબાદ તારીખ ૨૧ના રોજ ૧૫ દરવાજા ખુલ્યા, તારીખ ૨૨ નારોજ ૬ દરવાજા ખુલ્યા, તારીખ ૨૩ના રોજ ૧૫ દરવાજા ખુલ્યાં, તારીખ ૨૪ના રોજ ૬ દરવાજા ખુલ્યાં, તારીખ ૨૬ના રોજ ૬ દરવાજા ખોલવામાં આવ્યાં બાદ આજે તારીખ ૨૭ના રોજ એક ફૂટ સુધી ૫ દરવાજા ખોલવામાં આવ્યાં છે.આ અંગે માહિતી આપતાં ડેમ સ્થિત નાયબ કાર્યપાલક ઈજનેર આશિષ બાલધીયાએ જણાવ્યું હતું કે, ઉપરવાસમાંથી આવતી પાણીની આવક પર ટીમ સતત નજર રાખી રહી છે. આવક ઘટે એટલે દરવાજા બંધ કરવામાં આવે છે અને આવક વધતા ફરી દરવાજા ખોલવામાં આવે છે. મોડીરાત્રે પાણીનો ભારે પ્રવાહ ડેમમાં આવી રહ્યો હતો જેને પગલે ડેમની સપાટી એક નિયત અંકે જાળવી રાખવા માટે આજે સવારે ડેમના ૫ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યાં હતાં. આજે વહેલી સવારે ૫ દરવાજા ખોલવામાં આવ્યા છે. નદીઓમાં ૪૫૦ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, ઉપરથી વધારાની આવક બંધ થશે. ત્યારે દરવાજા પુનઃ બંધ કરવામાં આવશે.

Previous article“પોલીસ એ પ્રજા નો મિત્ર છે એ ઉક્તિ ને સાર્થક કરતો એક કિસ્સો”
Next articleભાવનગર શહેરમાં સિઝનનો ૧૦૧% વરસાદ