સિંઘુ બોર્ડર કેસમાં વધુ ૨ નિહંગોએ આત્મસમર્પણ કર્યું

210

અમૃતસર, તા.૧૭
અમૃતસરમાં અટકાયત કરાયેલા નિહંગ નારાયણ સિંહે કહ્યું, ’લખબીરસિંહે ગુરુનું અપમાન કર્યું હતું, તેથી તેણે જે કર્યું તે યોગ્ય કર્યું. જો સરબજીત સિંહ દોષિત છે, તો હું પણ દોષી છું. મેં સરબજીત સિંહ સાથે પણ એટલો જ સહકાર આપ્યો છે. ૨૦૧૪ થી ગુરુઓનું અપમાન થઈ રહ્યું છે. ગુરુ ગ્રંથ સાહિબના અપમાનની કેટલી ઘટનાઓ પ્રકાશમાં આવી, પરંતુ પોલીસે સહકાર આપ્યો નહીં. એક પણ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઘટનામાં આરોપીને જાહેરમાં પકડી લેવામાં આવ્યો હતો અને તે સમયે જે યોગ્ય લાગ્યું, નિહંગ ગ્રુપે એ જ કર્યું. આમાં હું પણ એટલો જ દોષી છું, જેટલો સરબજીત. સોનીપતના ડીએસપી વીરેન્દ્ર સિંહે જણાવ્યું કે તેમને ત્યાંની પોલીસ પાસેથી અમૃતસરમાં નિહંગ નારાયણ સિંહના શરણાગતિ અંગે માહિતી મળી હતી. સોનીપત પોલીસની એક ટીમ અમૃતસર રવાના કરવામાં આવી છે. જે નિહાંગ નારાયણ સિંહને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લાવશે. સિંહે કહ્યું કે સરબજીત અને નારાયણ સિંહની અહીં રૂબરૂ પૂછપરછ કરવામાં આવશે, જે તપાસને ઝડપી બનાવશે. આ બંને પાસેથી આ હત્યામાં તેમની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તે પણ જાણી શકાશે. દિલ્હીના નિહંગ નારાયણ સિંહ સિંધુ બોર્ડરથી સરેન્ડર કરવા માટે સવારે નીકળ્યા હતા. નારાયણ સિંહે કહ્યું કે, સંગતે તેમને અમૃતસરમાં શરણાગતિ સ્વીકારવાનું કહ્યું હતું. તે પછી તે અમૃતસર પહોંચ્યા. મળતી માહિતી મુજબ, તે પોલીસથી છુપાઈને દેવીદાસ પુરા પહોંચ્યો હતો. નારાયણ સિંહના પહોંચવાના સમાચાર મળ્યા બાદ પોલીસે બપોરે જ ગામને ઘેરી લીધું હતું. આ પછી નારાયણે કહ્યું કે અરદાસ પછી તે પોતાને સમર્પણ કરશે. અરદાસે પછી તેણે ગુરુદ્વારા સાહિબમાંથી બહાર આવીને શરણાગતિ સ્વીકારી. અમૃતસર રૂરલ એસએસપી રાકેશ કૌશલનું કહેવું છે કે હાલમાં નિહંગ નારાયણ સિંહ તેમની કસ્ટડીમાં છે.
હરિયાણા પોલીસનું અમૃતસર પહોંચ્યા બાદ તેને સોંપવામાં આવશે. પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ઘટના વિશે માહિતી આપવાનું કહ્યું છેસિંઘુ બોર્ડર પર તરનતારનના ચીમા ગામના રહેવાસી લખબીર સિંહની હત્યાના કેસમાં ચાર આરોપીઓએ આત્મસમર્પણ કર્યું છે. પોલીસે ભગવંત સિંહ અને ગોબિંદ સિંહના નામના વધુ ૨ નિહંગે કુંડલી બોર્ડર પર આત્મસમર્પણ કર્યું છે. આત્મસમર્પણ પહેલા બંનેએ ડેરામાં શ્રી ગુરુ ગ્રંથ સાહિબની સામે પ્રાર્થના કરી હતી. સોનિપત પોલીસની એક ટીમ શનિવારે સાંજે આત્મસમર્પણ કરનારા નિહંગને લેવા માટે લગભગ ૮.૩૦ વાગ્યે. સિંઘુ સરહદ પર નિહંગના ડેરામાં પહોંચ્યા હતા. અને લગભગ ૪૫ મિનિટ પછી બંનેને ત્યાંથી લઈ ગયા. સિંધુ બોર્ડર પર શુક્રવારે સવારે થયેલી લખવીર સિંહની હત્યામાં અત્યાર સુધીમાં કુલ ૪ નિહંગે આત્મ સમર્પણ કર્યું છે. તેમાં સરબજીત સિંહે હત્યાના ૧૫ કલાક બાદ જ શુક્રવારે સાંજે સિંધુ બોર્ડર પર આત્મ સમર્પણ કર્યું હતી, જ્યારે બાકી ૩ નિહંગે શનિવારે આત્મ સમર્પણ કર્યું હતું. શનિવારે નારાયણ સિંહે અમૃતસરમાં અને ભગવંત સિંહ અને ગોબિંદ સિંહે સિંધુ બોર્ડર પર કુંડલી પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કર્યું હતું. સોનીપતના જીઁ જશનદિપ રંધાવાએ જણાવ્યુ હતું કે કુંડલી પોલીસ અને સોનીપત ક્રાઇમ બ્રાન્ચની ટિમ શનિવારે રાત્રે જ બંને નિહંગોનું સોનીપત સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાવશે. દિલ્હીના નિહંગ નારાયણ સિંહે આત્મસમર્પણ બાદ દેવીદાસ પૂરા ગુરુદ્વારા બહારથી અટકાયત કરાઇ હતી. પોલીઓસે કહ્યું હતું કે નારાયણ સિંહનું અમૃતસર પહોંચવાના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. ગુરુદ્વારા બહાર નિકલતાની સાથે જ પોલીસે તેની ધરપકડ કરી હતી. જ્યારે સૌથી પહેલા આત્મસમર્પણ કરનાર સરબજીતને સિંધુ બોર્ડરના ડેરામાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. નિહંગ નારાયણ સિંહે કબૂલાત કરી કે તેણે મૃત્યુ પામેલા લખબીર સિંહનો પગ કાપી નાખ્યો હતો. નિહંગ જણાવ્યું કે તે દશેરાની ઉજવણી માટે અમૃતસરથી નીકળ્યો હતો. શુક્રવારે સવારે ૫ વાગ્યાની આસપાસ સિંઘુ બોર્ડર પર પહોંચ્યા ત્યાં ભેગા થયેલા લોકોએ તેની કારને હાથ મારવાનું શરૂ કર્યું. બહાર આવતાં લોકોએ કહ્યું કે લખબીરે ગુરુ ગ્રંથ સાહિબનું અપમાન કર્યું છે. તેણે ત્યાં હાજર લોકોને પૂછ્યું લખબીર હજુ જીવિત છે કે કેમ. જ્યારે તેણે લખબીરને જોયો ત્યારે તેનો હાથ કાપી નાખવામાં આવ્યો હતો. આ પછી નારાયણે તલવારથી લખબીરનો પગ કાપી નાખ્યો. અડધા કલાક પછી તેમનું મોત થયું હતું.

Previous articleકેરળમાં ભારે વરસાદને કારણે તબાહી : ૧૮ લોકોના મોત
Next articleભાવનગર કોબડી પાસે આવેલા ટોલ ટેક્સમાંથી ગ્રામજનોને મુક્તિ આપવા કોંગ્રેસ તથા ટ્રાન્સપોર્ટરોએ કલેક્ટર અને એસપીને રજૂઆત કરી