શહેરના જાકાતનાકા વિસ્તારમાં આવેલ મિઠાઈની દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો

230

શહેરના તળાજા જકાતનાકા વિસ્તારમાં આવેલ એક મિઠાઈ ની દુકાનને તસ્કરોએ ટાર્ગેટ કરી દુકાનના શટર તોડી રોકડ રકમ તથા અન્ય ચિઝવસ્તુઓ મળી કુલ રૂ ૭૫ હજારથી વધુ ની રકમની ચોરી કર્યાની વિગતો જાણવા મળી છે. સમગ્ર બનાવ અંગે શહેરના તળાજા જકાતનાકા થી આગળ તળાજા રોડપર કામીનીયાનગર વિસ્તારમાં આવેલી પંડ્યા મિઠાઈ નામની દુકાનને મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી શટર તોડી દુકાનના કાઉન્ટર માં રાખેલ રોકડ રકમ તથા મિઠાઈ સહિત અન્ય સરસામાન મળી કુલ રૂ,૭૫ હજારથી વધુ ની રકમનો દલ્લો ઉઠાવી અજાણ્યા શખ્સો ફરાર થઈ જતાં દુકાન ધારકે ભરતનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ અંગે પોલીસે સીસીટીવી કેમેરા ના ફોટેજ આધારે તપાસ હાથ ધરી હતી.

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજ ખાતે વ્યક્તિત્વ વિકાસ અંગે વ્યાખ્યાન યોજાયું
Next articleપેવિંગ બ્લોકના કામનું ખાતમુરત કાર્યક્રમ કરતા વિભાવરીબેન દવે