૧૨૮ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી

109

ભાવનગરના શ્રી ઈલાબહેન સુરેન્દ્રભાઈ પંડ્યાના જન્મદિવસે શિશુવિહાર સંસ્થામાં ૪૨૬ મો નેત્રયજ્ઞ યોજાય ગયો. તેમજ પદમ શ્રી ડૉ.કે.એમ.આચાર્ય સાહેબ દ્વારા સ્વ.શ્રી માતૃ શ્રી ભાગીરથીબહેન મનસુખલાલ આચાર્યના સ્મરણાર્થ તથા સ્વશ્રી સુરેન્દ્રરાય મણિશંકર ત્રિવેદીની સ્મૃતિમાં ૪૨૭ મો નેત્રયજ્ઞ તારીખ.૨૬ નવેમ્બરે શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો. ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૨૮ દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. સંતોષ સાહેબની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં સવારે ચા-નાસ્તો અને બપોરે ભોજન બાદ કેટ્રેક સર્જરી માટે ૨૧ દર્દીઓને એટેડન સાથે ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા.

જ્યારે બીજા ૨૦ દરદીઓ એટેડન સાથે તારીખ. ૨૯ ને સોમવારે એ વિરનગર લઈ જવામાં આવનાર છે શિયાળાની ઋતુમાં ગરીબ દર્દીઓની રાહત માટે પદમ શ્રી ડૉ. આચાર્ય સાહેબ દ્વારા તમામને સોલાપુરી ચાદર ભેટ સ્વરૂપે આપવામાં આવેલ. દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી…

Previous articleપારીવારિક પક્ષો દેશ માટે ચિંતાનો વિષય : નરેન્દ્ર મોદી
Next articleભાવનગરમાં ભાજપ કાર્યાલય ખાતે કારોબારી બેઠક મળી, રાજકીય પ્રસ્તાવો રજૂ કરાયા