ભાવનગરમાં એક દિવસની રાહત બાદ કોરોના આજે ફરી નવા એક કેસ નોંધાયા

104

ભાવનગરમાં દિવસને દિવસે કોરોનાના કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જોકે, વચ્ચે એક દિવસનો બ્રેક લાગ્યો હતો. જ્યારે આજે ફરી શહેરમાં એક કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ, જિલ્લામાં એક્ટિવ કેસનો આંક વધીને ૧૮ પર પહોંચ્યો છે. શહેરમાં ૧૭ અને ગ્રામ્યનો ૧ એક્ટિવ કેસ છે. ભાવનગર મહા પાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧ હજાર ૫૧૨ થવા પામી છે. જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૫૧૨ કેસ પૈકી હાલ ૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૯૯ દર્દીઓનું અવસાન થયા છે.

Previous articleઆંતરકૉલેજ હેન્ડબોલ સ્પર્ધામાં શામળદાસ આર્ટસ કૉલેજ ચેમ્પિયન બની
Next articleભાવનગર બાર એસો.ના પ્રમુખ તરીકે સંજય ત્રિવેદી અને ક્રિમીનલ બાર એસો.ના પ્રમુખ પદે ધર્મેન્દ્ર ડાભીનો વિજય