કાળીયારના શિકાર પ્રકરણે વધુ બે આરોપી ઝબ્બે

127

આરોપીઓના કબ્જા તળેથી મૃત પશુઓના અવશેષ છરા હાડકાં સહિતનો મુદ્દામાલ કબ્જે
ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલ કાળાતળાવ ગામની સીમમાં થી તાજેતરમાં શેડ્યુઅલ વન માં આવતી આરક્ષિત પ્રજાતિ કાળીયાર ના શિકાર સાથે બે શખ્સો ઝડપાયા હતાં દરમ્યાન આ શિકારીઓએ રીમાન્ડ દરમ્યાન વધુ બે આરોપીઓ ના નામ આપતાં વન વિભાગે ભાવનગર ના બે શિકારીઓના ઘર માથી મૃત પ્રાણીઓ ના અવશેષો તથા હથિયાર સાથે બંને આરોપી ઓની અટક કરી છે. ભાવનગર વન વિભાગની ટીમે તાજેતરમાં ભાવનગર સમિપ આવેલ ભાલ પંથકના કાળાતળાવ ગામની સીમમાં થી કાળીયાર નો શીકાર કરેલ પશુ ના મૃતદેહ સાથે કાળાતળાવ ગામના બુધા ગોબર વેગડ તથા જાવેદ દિલાવર પઠાણ રે ભાવનગર વાળાની ધડપકડ કરી હતી દરમ્યાન આ બંને શિકારીઓએ રીમાન્ડ દરમ્યાન વધુ બે શિકારીઓના નામ આપતાં વન વિભાગના અધિકારીઓ એ ભાવનગર શહેર માં રહેતા મોસીન દિલાવર પઠાણ તથા સોયેબ સલીમ કુરેશી ના ઘરે દરોડો પાડી ઘર માથી મૃત પશુ ના અવશેષો સાથે ધારદાર છરા સહિતના તિક્ષ્ણ હથિયારો કબ્જે કરી આ આરોપી વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી.

Previous articleશહેરમાં ખ્રિસ્તી સમાજ દ્વારા નાતાલ પર્વની ઉજવણી
Next articleસાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ દાદાને રજવાડી વાઘા પહેરાવી વિશેષ પરંપરાગત દિવ્ય શણગાર કરાયો