દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૫૩૧ નવા કેસ નોંધાયા

92

છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૨ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો : અત્યાર સુધી ૪૧૭૦૨૫૬૫૪ લોકોનું રસીકરણ થયું, જેમાંથી ૨૯૯૩૨૮૩ ડોઝ ગઈકાલે આપાયા
નવી દિલ્હી,તા.૨૭
ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૩૦માં દિવસે કોરનાના નવા કેસ ૧૦ હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૬૫૩૧ નવા કેસ નોંધાયા છે અને ૧૬૨ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૭૧૪૧ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૭૫,૮૪૧પર પહોંચી છે. રિકવરી રેટ ૯૮ ટકાથી વધારે છે. ઓમિક્રોનના કુલ કેસ ૫૭૮ થયા છે. ૨૬ ડિસેમ્બરના રોજ ૬૯૮૭ કેસ અને ૧૬૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ૨૫ ડિસેમ્બરે ૭૧૮૯ નવા કેસ અને ૩૮૭ સંક્રમિતોના નિધન થયા હતા. ૨૪ ડિસેમ્બરે ૬૬૫૦ કેસ અને ૩૭૪ સંક્રમિતોના મોત થયા હતા. ૨૩ ડિસેમ્બરે ૬૩૧૭ નવા કેસ અને ૪૩૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ૨૨ ડિસેમ્બરે ૬૩૧૭ નવા કેસ ૩૧૮ સંક્રમિતોના મોત થયા હતા. ૨૧ ડિસેમ્બરે ૫૩૨૬ નવા કેસ અને ૪૫૩ સંક્રમિતોના મોત થયા હતા. ૨૦ ડિસેમ્બરે ૬૫૬૩ નવા કેસ અને ૧૩૨ સંક્રમિતોના મોત થયા હતા. ૧૯ ડિસેમ્બરે ૭૦૮૧ નવા કેસ અને ૨૬૪ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૮ ડિસેમ્બરે ૭૧૪૫ નવા કેસ સામે આવ્યા હબતહતા અને ૨૮૯ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૧૭ ડિસેમ્બરે ૭૪૪૭ નવા કોરોના કેસ નોંધાયા હતા અને ૩૯૧ સંક્રમિતોના મોત થયા હતા. ૧૬ ડિસેમ્બરે ૭૯૭૪ નવા કેસ અને ૩૪૩ સંક્રમિતોના મોત થયા હતા. ૧૫ ડિસેમ્બરે ૬૯૮૪ નવા કોરોના કેસ નોંધાયા હતા અને ૨૪૭ લોકોના મોત થયા હતા. ૧૪ ડિસેમ્બરે ૫૭૮૪ નવા કેસ અને ૨૫૨ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૧૩ ડિસેમ્બરે ૭૩૫૦ નવા કેસ અને ૨૦૨ લોકોના મોત થયા હતા. ૧૨ ડિસેમ્બરે ૭૭૭૪ નવા કેસ નોંધાયા હતા અને ૩૦૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં ૧૪૧, ૭૦,૨૫,૬૫૪ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૨૯,૯૩,૨૮૩ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

Previous articleરાજ્યો પોતાની રીતે પ્રતિબંધના નિર્ણય કરે : કેન્દ્રની તાકીદ
Next articleપહેલી જાન્યુઆરીથી બાળકોની વેક્સિનેશનનું રજિસ્ટ્રેશન શરૂ