છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૫૮,૦૮૯ નવા કેસ નોંધાયા

77

ઓમિક્રોન કેસ ૮ હજારને પાર : ભારતમાં ગઈકાલે એટલે કે રવિવાર સુધી કોરોના વાયરસ માટે ૧૩૧૩૪૪૪ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા
નવી દિલ્હી,તા.૧૭
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૨ લાખ ૫૮ હજારથી વધુ કેસ નોંધાયા છે. હાલમાં દેશમાં કોરોનાના ૧૬ લાખથી વધુ સક્રિય કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોના વાયરસના ૨,૫૮,૦૮૯ નવા કેસ નોંધાયા છે અને ૧,૫૧,૭૪૦ રિકવરી થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૩૮૫ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાના નવા પ્રકાર, ઓમિક્રોન કેસની વાત કરીએ તો ભારતમાં તેના કેસ વધીને ૮,૨૦૯ થઈ ગયા છે. ગઈકાલના આંકડાની સરખામણીએ તેમાં ૬.૦૨ ટકાનો વધારો થયો છે. ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અનુસાર, ભારતમાં ગઈકાલે એટલે કે રવિવાર સુધી કોરોના વાયરસ માટે ૧૩,૧૩,૪૪૪ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ ૭૦,૩૭,૬૨,૨૮૨ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના ૧૫૭.૨૦ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના ૪૧,૩૨૭ નવા કેસ નોંધાયા હતા અને આ રોગથી વધુ ૨૯ દર્દીઓના મોત થયા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે રાજ્યમાં ચેપના ૪૨,૪૬૨ કેસ નોંધાયા હતા. વિભાગના બુલેટિન મુજબ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન, મહારાષ્ટ્રમાં ૪૦,૩૮૬ દર્દીઓ ચેપ મુક્ત થયા છે, જેની સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૮,૦૦,૯૦૦ લોકો સાજા થયા છે. સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ૨,૬૫,૩૪૬ છે. રાજ્યમાં ચેપના કુલ કેસોની સંખ્યા વધીને ૭૨,૧૧,૮૧૦ થઈ ગઈ છે અને મૃતકોની સંખ્યા ૧,૪૧,૮૦૮ થઈ ગઈ છે. એક દિવસમાં ઓમિક્રોન ફોર્મના આઠ નવા કેસ નોંધાયા બાદ આવા કેસોની સંખ્યા વધીને ૯૩૨ થઈ ગઈ છે. રાજ્યમાં કોવિડ-૧૯ સંબંધિત મૃત્યુ દર ૧.૯૬ ટકા છે જ્યારે ચેપમાંથી સાજા થવાનો દર ૯૪.૩ ટકા છે.

Previous articleબળજબરીથી કોઈનું રસીકરણ નહીં : સુપ્રીમમાં સરકારની સ્પષ્ટતા
Next articleમાર્ચ સુધીમાં ૧૨થી ૧૫ વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થઈ શકે