જિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસત્તાક પર્વની તળાજા ખાતે કરાશે ઉજવણી

231

કલેક્ટર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ બેઠક
૭૩માં પ્રજાસત્તાક પર્વના જિલ્લા કક્ષાના ઉજવણી તળાજા ખાતે કરવામાં આવશે. આ અવસરે વન અને પર્યાવરણ મંત્રી ધ્વજવંદન કરાવશે. આ ધ્વજવંદન કાર્યક્રમ તળાજા ખાતે આવેલ આઇ.ટી.આઇ.ના મેદાનમાં યોજવામાં આવશે. ધ્વજવંદન બાદ મંત્રી દ્વારા પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મંત્રી દ્વારા ઉદબોધન અને પદક-પ્રદાન અને સન્માન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ/ હોમગાર્ડ/ એન.સી.સી.ની પરેડ, ઈનામ વિતરણ, વૃક્ષારોપણ વગેરે જેવાં કાર્યક્રમો રાષ્ટ્ર્‌ભક્તિના વાતાવરણ વચ્ચે માં ભારતીની આન, બાન અને શાન વચ્ચે યોજાશે. આ ઉજવણી અંગેની બેઠક કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ધ્વજવંદનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

Previous articleઅજય જાડેજાના ફોટોગ્રાફ્સ હેરિટેજનું પ્રદર્શન ઉદયપુરમાં યોજાશે
Next articleપીએમના દિર્ઘાયુ માટે ભાજપે દરેક વોર્ડમાં હવન કર્યો