શહેરના ગરીબ વિસ્તારોમાં અઠવાડિયામાં ત્રણ દિવસ કરાશે પૌષ્ટિક ખીચડીનું વિતરણ

344

માનવ સેવા એજ પ્રભુ સેવાનાં ધ્યેયથી ભાવનગરનાં ઉદ્યોગપતિ તથા શિવા ટ્રસ્ટનાં સંચાલક શિવાભાઈ વિજયભાઈ બંસલનાં સૌજન્યથી લેપ્રસી કોલોની વિસ્તારનાં ૩૦૦ લોકોને ખીચડીનું વિતરણ કરવામાં આવેલ. ભાવનગરના શ્રેષ્ઠી મહેન્દ્રભાઈ શાહ દ્વારા જીવ દયા અર્થે ફરતો મૂકવાના આવેલ આધ્યાશક્તિ જીવદયા રથના માધ્યમથી મકરસંક્રાંતિ પર્વથી દાન ધર્મ હેતુસર એક વર્ષ માટે શરૂ કરાયેલી પ્રવૃત્તિ ને આગળ વધારવામાં શિશુવિહારના કાર્યકર જગદીશભાઈ ભટ્ટ તથા પોપટભાઈ વેગડે જહેમત ઉઠાવી શહેરના જુદા જુદા ગરીબ વિસ્તારોમાં ફરીને ૧૨ઃ૩૦થી ૪ઃ૩૦ દરમિયાન અઠવાડિયામાં ત્રણ દિવસ પૌષ્ટિક ખીચડી નું વિતરણ કરશે. કડકડતી ઠંડીમાં ગરીબ લોકોને બ્લેન્કેટ અથવા કપડાનું વિતરણ તેમજ લગ્ન પ્રસંગે પડી રહેલ ખોરાક નું વિતરણ કરવા માટે શહેરના નાગરિકો રાજુભાઈ મકવાણા સંપર્ક નંબર ૭૩૮૩૫૧૯૬૮૬ સાથે વાત કરે તેવી વિનંતી કરાઈ છે.

Previous articleસરકારી વિનયન કોલેજમાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા ઓગસ્ત કોસ્ટના જન્મ દિવસની ઉજવણી
Next articleચત્રભુજગીરીબાપુની અંતિમયાત્રામાં આખુ ગામ જોડાયું