ગુજરાતમાં નિષ્ણાંતોની સલાહથી ઓફલાઈન શિક્ષણ ચાલું કરવા શિક્ષણવિદો દ્વારા રજૂઆત

82

બોર્ડ દ્વારા જાહેર પરીક્ષાઓ ૧૫ દિવસ મોડી કરી અભ્યાસક્રમ સરભર કરવા રજૂઆત
ગુજરાતમાં પહેલી ફેબ્રુઆરીથી ઓફલાઈન શિક્ષણ નિષ્ણાંતોની સલાહથી ચાલુ કરવાં મુખ્યમંત્રીને શિક્ષણવિદો ડો.આરતી કસ્વેકર (અમદાવાદ) ડો.મહેશ ઠાકર (ભરુચ), તખુભાઈ સાંડસુર (ભાવનગર), ડો.વૈશાલી શાહ (કેળવણી પરિષદ -અમદાવાદ), ડો.વિનુભાઈ પટેલ, સુખદેવ પટેલ (ગણતર) શામજીભાઈ દેસાઈ (પાટણ), નમૅદ ત્રિવેદી (સમન્વય) વગેરેએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તેઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે નિષ્ણાતોના કહેવા મુજબ ત્રીજી લહેરનો પીક પોઈન્ટ ૧૯ જાન્યુઆરી હતો. ત્યાર પછી કેસ ઝડપથી ધટી રહ્યાં છે અને તે સિલસિલો આજે પણ ચાલુ છે તેથી હવે તેની કોઈ ખાસ અસર જોવા મળતી નથી.તા. ૨૮ -૧-૨૨ ના રોજ સરકારના આંકડા મુજબ કુલ ૧૨૧૦૦ કેસ પૈકીના લગભગ ૮૦૦૦ કેસ મહાનગરોના હતાં. એટલે કે ગ્રામ્ય કક્ષાએ આજે સંક્રમણ ૩૦ ટકા જેટલું પણ નથી. તેથી બધાને શિક્ષણથી વંચિત રાખવા યોગ્ય નથી. એટલું જ નહીં કુલ કેસમાંથી બાળકોને થયેલા સંક્રમણના આંકડાઓ ખૂબ ઓછાં છે.પીક સમયમાં આ આંકડો સંક્રમણના ૨% ભાગ જેટલો હતો જે ઘટીને આજે ખૂબ નિમ્નસ્તરે છે.ભારતમાં મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા સહિતના રાજ્યોએ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો પ્રારંભ કર્યો છે જ્યાં સૌથી વધારે સંક્રમણ હતું એવું શહેર દિલ્હી જો ઓફલાઈન શિક્ષણ શરૂ કરી શકતું હોય તો આપણે વાયરસ નિષ્ણાંતોના મતને જાણીને તે દિશામાં આગળ વધવું જોઈએ. ત્રીજી લહેર બહુ મોટાં પ્રમાણમાં ઘાતક સાબિત થઇ નથી. ગંભીર દર્દીઓની સંખ્યા પણ ફુલ કેસમાંથી ૧૦૭,૦૦૦ માંથી માત્ર ૨૯૮ છે તે ૦.૩૩% છે તે પૈકી બાળકોની સંખ્યા ખૂબ નહિવત હોવાની સંભાવના છે.લગ્ન, સામાજિક મેળાવડાં વગેરે આયોજન પછી પણ બાળકોમાં કોરોના અસર જોવાં મળી નથી. તેથી જલ્દી ઓફલાઈન શિક્ષણ કોરોના ગાઈડ લાઈન સાથે શરું કરવામાં આવે. બોર્ડની જાહેર બોડૅ પરીક્ષાઓ ૧૫ દિવસ પાછળ લઈ જઈ અભ્યાસક્રમ સરભર કરવો જોઈએ.

Previous articleઘંઘુકામા ભરવાડ યુવાનની હત્યાના વિરોધમા વલ્લભીપુર સજ્જડ બંઘ
Next articleઆજે ભાવનગરમાં ૨૩૦ નવા કોરોનાના કેસ નોંધાયા, ૪૪૭ કોરોનાને માત આપી, જયારે ૫ ના મોત