પાલીતાણાના પ્રખ્યાત જૈન મંદિરોની જર્મન રાજદૂતે મુલાકાત લીધી, મંદિરોના બારીક કોતરકામ અને કલાકારીથી પ્રભાવિત થયા

86

જર્મન ગણરાજ્યના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લિન્ડનર ભાવનગરની મુલાકાતે છે : જર્મન રાજદૂતે જૈન મુનિઓ તેમજ શ્રાવકો સાથે જૈનીઝમ પર વાર્તાલાપ કર્યો
ભાવનગર જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવેલા જર્મન ગણરાજ્યના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લિન્ડનરે તેમની મુલાકાતના આજે બીજા દિવસે વહેલી સવારે પાલીતાણાના પ્રખ્યાત જૈન મંદિરોની મુલાકાત લીધી હતી.

જર્મન રાજદૂતે પાલીતાણા સ્થિત હસ્તગીરી પર્વત તેમજ તળેટીના મંદિરોની મુલાકાત લઈને મંદિરની બારીક કોતરણીકામ તથા કલાકારી જોઈને પ્રભાવિત થયાં હતાં. જર્મન રાજદૂતે જૈન મુનિઓ તેમજ શ્રાવકો સાથે જૈનીઝમ પર વાર્તાલાપ કરી જૈન ધર્મ તેમજ તેના અહિંસા, પરોપકાર, અપરિગ્રહ જેવાં મૂળભૂત તત્વો વિશેની જાણકારી મેળવી હતી.જૈન સાધ્વી સાથે સાધ્વી જીવનની તપસ્યા તેમજ આ તપસ્યા માટેની અભૂતપૂર્વ શક્તિ કઈ રીતે મેળવો છો તે અંગેનો પણ તેમણે સત્સંગ કર્યો હતો. જૈન ધર્મના આ તત્વો વિશે અભિભૂત થઇને તેઓ સત્સંગીઓના કાફલા સાથે પણ થોડો સમય ચાલ્યા હતા અને આ રીતે ચાલીને ધન્યતા અનુભવી હતી.
જર્મન ગણરાજ્યના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લિન્ડનર આ મુલાકાતમાં જર્મન એમ્બસીના મંત્રી અને આર્થિક અને વૈશ્વિક બાબતોના વડા સ્ટીફન કોચ, મુંબઇ કોન્સુલેટના કાર્યકારી કોન્સલ જનરલ મારિયા ઇયનિંગ, રાજનૈતિક અને આર્થિક બાબતોના વરિષ્ઠ સલાહકાર આશુમી શ્રોફ પણ સાથે રહ્યાં હતાં

Previous articleભાવનગરમાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ, વિવિધ વયજુથના ૩૭૫ જેટલા બાળકોએ ભાગ લીધો
Next articleવિદ્યાસહાયકો માટે ફોર્મની વ્યવસ્થામાં-અવ્યવસ્થા : દેકારો