આજે ભાવનગરમાં ૧૭ નવા કોરોનાના કેસ નોંધાયા, ૧૯ કોરોનાને માત આપી, ૨ના મોત

343

શહેરમાં ૯૭ અને ગ્રામ્યમાં ૩૦ દર્દીઓ મળી કુલ ૧૨૭ એક્ટિવ કેસ
કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ હતી, આજે ભાવનગર જિલ્લામાં ૧૭ કેસ નોંધાયા હતા, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૧૨ નવા કેસ નોંધાયા હતા જેમાં ૯ પુરુષનો અને ૩ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ગ્રામ્યમાં પણ ૫ કેસ નોંધાયા હતા, જેમાં ૩ પુરુષ અને ૨ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૧૯ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જ્યારે ગ્રામ્યમાં ૨ ના મોત નિપજ્યા હતા. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૦૦ અને તાલુકાઓમાં ૧૯ કેસ મળી કુલ ૧૯ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા ઘટીને ૯૭ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૩૦ દર્દી મળી કુલ ૧૨૭ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૧૬૫ કેસ પૈકી હાલ ૧૨૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૩ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleવિદ્યાસહાયકો માટે ફોર્મની વ્યવસ્થામાં-અવ્યવસ્થા : દેકારો
Next articleસંકુચિતતા અને સ્વકેન્દ્રિતતા ત્યજીને સૌનો સાથ-સૌનો વિકાસના મંત્રથી માં ભારતીને પરમ વૈભવના શિખરે પહોંચાડવા પ્રયત્ન કરીએઃ શિક્ષણ મંત્રી